SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ છે. અનેક પ્રકારનાં ધવલ-મંગલગીત-વાજિંત્રો વાગી રહ્યા છે. વિદ્વાન માણસે પ્રશંસા કરી રહ્યા છે કે જેનામાં આટલુ પરાક્રમ છે કે મંત્રીપદની મહાન લાલસાએ તેડી સંયમના માર્ગે જાય છે! ધન્ય છે એને ! નગરની સુંદરીઓ દુઃખપૂર્વક જઈ રહી છે, “અહો ! આ લાડીલે મંત્રી-પુત્ર અમારી કેઈ નવી રંગીલીની જોડે ખેલ કરવા ગ્ય-તે જીવનભરના બ્રહ્મચર્યના અહિંસાના ત્યાગ–તપનાં પરિગ્રહ ત્યાદિ-ઘોરત્યાગ-તપના માર્ગે જાય છે!” એમની આંખમાંથી પાણી ટપકી પડે છે. મેટા વરઘોડા સાથે દાન દે દેતે નીકળે છે! નગરમાં ફરી વરઘેડે આચાર્ય મહારાજ પાસે આવે છે. એ ગુરુ મહારાજને વંદન કરે છે. પછી દીક્ષાવિધિની ક્રિયા શરૂ થાય છે. ચારિત્રના ચિહ્ન તરીકે એને રહરણ આપે છે. તે વખતે જાણે શિખીકુમારને ત્રણ લકનું રાજ્ય મળી ગયું એટલો આનંદ ઉભરાય છે. જરૂર ઉભરાય! કેમકે રજોહરણમાં શું દેખાય છે? ભભવનાં પરિભ્રમણ કપાઈ જવાનું. શું છે દીક્ષા અભયદાનનું જાહેરનામું ! મહાન પવિત્ર જીવન છે. સર્વપાપને ત્યાગ છે! અનંતજીની દયા છે! અનાદિની સંજ્ઞાઓને સંહાર છે! “જાઓ, આહાર અને વિષયની સંજ્ઞાઓ ! દૂર ભાગો.” મહાન મેક્ષ માર્ગની સાધના છે! એ રજોહરણ લેતાં એને આનંદને પાર નથી ! જાવ જીવનું સામાયિક ઉચ્ચરાવવામાં આવે છે. વંદન વિનયપૂર્વક મહાપ્રવજવાની ક્રિયા પરિપૂર્ણ કરે છે. એટલે ત્યાં રાજામંત્રી અને નગરવાસીઓ દડદડ વહેતાં - આંસુની
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy