SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પપ વીને આવ્યા છે! અનેક જન્મથી એ રીતે વૈરાગ્ય ભાવનાને પ્રવાહ પિતાના આત્મામાં વહેતે રાખે છે. સંસારની ઘટનાઓનું વર્ષો સુધી મંથન કરીને વૈરાગ્યને ઝરો વહેતે રાખે છે, તે અહીંયા પુનઃ શરૂ થઈ જાય, એમાં કેઈએ એને શું ભેળ ચઢાવ્ય કહેવાય? વાત સાચી છે. સંસારમાં સનાતન એવા આત્માની અનેક ભામાં પ્રવૃત્તિ રાગાદિના માર્ગે થાય છે, ત્યારે એમાં કેઈક પુણ્યવાન મેક્ષાભિલાષી જીવની વૈરાગ્યના માર્ગે વૃત્તિ અને પ્રવૃત્તિ વળે છે. આને જેને ખ્યાલ હોય તે ન કહે કે આ તે નાનું બચ્ચું છે, એને શું ગમ પડી ગઈ? અથવા તે ગઈ કાલે તે ઘોડે ચઢીને પરણવા ગયે હતું ને આજે વૈરાગ્યની વાત કરે છે? જેને ભાન નથી તે એવું બોલે છે. જીવમાં વૈરાગ્ય કયારે જાગે છે ? – સનાતન એ જીવ ભાગ્યેાદય જાગે ત્યારે, ભવિતવ્યતા પાકે ત્યારે, કર્મના લેપ ઉખડે ત્યારે અને એ આત્માને પુરુષાર્થ ખીલી ઉઠે, ને પુરુષનું નિમિત્ત મલી જાય ત્યારે તે ભવ્ય આત્મામાં બૈરાગ્યને ધેધ ઉછળે. છે. પાંચ કારણ છે. (૧) સ્વભાવ, (૩) કાળ, (૩) કર્મ, (૪) ભવિતવ્યતા અને (૫) પુરુષાર્થ. સ્વભાવમાં દા. ત. જીવને ભવ્યત્વ વગેરે કાળમાં. ઘણે કાળ સંસારમાં કહ્યા પછી હવે મેક્ષ સન્મુખને ચરમાવત કાળ છે, તેથી કાળ કારણમાં આવ્યું. નિમિત્તમાં કર્મ પણ આવી ગયું. પુણ્ય કર્મના ઉદયથી મનુષ્યભવ, સત્સંગાદિ મળ્યા.
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy