SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ નથી બનતું! માત્ર ભાવના ભાવે સમકિત મલી જાય તેવું હોય તે કેણ લીલા લહેર કરતા કરતા એ સમ્યક્ત્વ ન લઈ લે? ત્યારે જે કહે કે “પાપ વધી ગયું છે, તેથી ધર્મ સૂઝતું નથી!” તે પાપ ઘટાડવા માટે ધર્મ અહિં જ કરવું જોઈએ. પાપ ઘટાડવા દેવ-ગુરૂની ભરપૂર સેવા કરવી જોઈએ! આને માટે પુણ્યદય હશે કે મને આ શુભ બુદ્ધિ જાગી! આ અભિમાન કહેવાય? ના, આ તે એના હૃદયને ઈકરાર છે. સદ્બુદ્ધિ જાગવા બદલને આનંદ છે, કે અનંતા ભવ ભ્રમણમાં બધુ મળે, ઠેઠ વીતરાગ પરમાત્માનું સમેવસરણ કે વિચરતા વીતરાગ પ્રભુ મળી જાય. પણ સદ્દબુદ્ધિ જમાવવી મુશ્કેલ. શું ભગવાન આપણને પૂર્વે નહી મલ્યા હોય? મલ્યા હશે, પણ ફેક! કેમકે સદ્બુદ્ધિ જ નહોતી. ભગવાનની વાણું સાંભળતા હતા, પણ એ તે ભગવાનની વાણી જ એવી કે એને શ્રેગ્નેન્દ્રિયને ટેસ લાગી જાય. પણ ત્યાં સદ્દબુદ્ધિથી થવી મુશ્કેલ હતી. “આજે એ સદ્દબુદ્ધિ પ્રાપ્ત થયા પછી પણ જે પુણ્યમાં કમીના હોય તે,” શિખી. કુમાર ગુરુ મહારાજને કહે છે કે “એમાં આપ જેવા સકળ ગુણે સંપન્ન ગુરુ મહારાજને સંગ થવું મુશ્કેલ છે.” આજે પશ્ચિમ દેશોમાં તત્વ જાણવાની ભૂખ લાગી છે. તે ભૂખને તૃપ્ત કરવા કે મુમુક્ષુઓ ઘર બહાર નીકળી પડે છે પણ સદ્દગુરૂનો વેગ પ્રાપ્ત નથી થતું! કયાંથી થાય? કુમાર કહે છે “એવા ગુણસંપન્ન ગુરુને સંગ થવે, એ વિશિષ્ટ પુણ્ય પર અવલંબે છે. “માટે આપ મારા પર અનુગ્રહ કરો.”
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy