SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પ્રેમ ! શાથી ? એ બધુ વૈઠરૂપ છે, દુઃખમિશ્રિત છે, નવા દુઃખને નાતરનારૂ છે. જીવને સંસારભ્રમણમાં જકડી નાખનારૂ છે. જગતના સુખ ઝાંઝવાના નીર જેવા. વાસ્તવમાં કાંઇ ન મળે. એ આત્માના સુખ નથી. નહિંતર તે એ શાના ઉડી જાય ? એ પુદ્ગલના સુખ છે; તે પણ સચૈાગ પરિસ્થિતિ વગેરેને આધીન છે. માટે સચેગ બદલાતા એને ઉડી જતાં વાર નથી લાગતી. આ બધું સમજીને દુનિયાનું દેખીતુ સારૂં' વૈભવી સુખ પણ ઝેર જેવુ લાગે છે; એ બધાના અભાવમાં રહેનારૂં મેાક્ષસુખ પ્યારૂ' લાગે છે. ત્રણ ખંડના માલિક મહાસમૃદ્ધિમાન કૃષ્ણ વાસુદેવના લાડીલા ભાઇ ગજસકુમાલને શ્રી નેમિનાથ પ્રભુના વચનથી કૃષ્ણના ઘરની એ બધી સુખસમૃદ્ધિ ઝેર જેવી ન લાગી હોય, મેાક્ષસુખની ભારે લગની ન ઉઠી હાય, તે એકદમ જ ચારિત્ર ગ્રહણ, તરત જ શ્મશાને કાઉસ્સગ્ગ ધ્યાન અને એટલામાં જ સાથે ધીખતા અંગારાથી સળગાવી નખાવાના ઉપદ્રવનું સહ સહન શી રીતે થાય ? ૧૨. અનાયતન વન = મેાક્ષસુખની ઉછળતી પ્રીતિના ભાવનાધની સાથે અનાયતનનું વનના ધમ આરાધવાના છે. દાન-શીલતપમાં આ કરે, આ કરે' એમ કરવાનું ઘણું આવ્યું પણ એની સાથે, જ્યાં જ્યાં એને ભય ઉભા થાય એમ છે, એવા સ્થાનને છેડવાની પણ જરૂર છે. તેની વાત અહીં
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy