SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ છે. ભલે એ એછુ ભણેલા હાય, એછી આવડતવાળા હાય, પણ પડિત એવા ગૃહસ્થાથી પણ નમસ્કરણીય છે; માન્ય પૂજ્ય છે. કારણુ એક જ, સુસાધુતા! જીવનમાં છતા પૈસા પરિવાર; પણ સૂક્ષ્મ અહિંસામય જીવન જીવવા માટે એ બધુ' સ્વેચ્છાએ ત્યજી સુસાધુજીવન સ્વીકાર્યુ અને પાળે છે, એથી જ એ જગવંદ્ય, જગપૂજ્ય છે, કારી પડિતાઈ અને આવડત કરતાં આ સુસાધુતા કરાડા-અબજો ગણી ઉંચી છે. કેમકે જ્ઞાનનુ ફળ એ છે. આ વસ્તુના અજ્ઞાને આજના કેટલાક જૈન ગણાતા પતિ અર્હત્વ અને પાંડિત્યના અભિમાનમાં ચઢી સુસાધુજનને માનતા પૂજતા તે નથી, પણ ઉલટું અવસરે એમની મશ્કરીના ખેલ કાઢે છે. જૈનશાસન જાણે કેરી પંડિતાઈ ઉપર ટકયું છે ! સૂક્ષ્મ અહિંસાના ચારિત્ર ઉપર નહિ !....કેટલી આ મૂઢતા! ઘરમાં રહીને ધર્મ ન થાય ? :—આટલું ધ્યાન રાખજો કે અહિંસાનું પાલન ગૃહસ્થ જીવનમાં શકય નથી, માટે સુસાધુજીવન લેવું પડે છે. એટલે જ ગમે તેવા ખીજા ધર્મના અંગ-અનુષ્ઠાન ગૃહસ્થ પાળતા છતાં સ થા અહિં સક નથી. સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિ સ્થાવર જીવાની અને ઘરસોંસાર ચલાવવામાં અજાણ્યે ત્રસ જીવેાની ય હિંસા ચાલુ ડાય છે, એ જીવાની હિંસા જેના દિલને ગભરાવી મૂકે છે, એને જ સાચું સુસાધુજીવન ગમે છે. એ ર્હિંસા તરફ હજી જેને સુગ નથી, એ જીવાની ઉપર પોતાના જીવ જેટલી જેને દયા નથી આવતી, એ ગૃહસ્થ જીવનમાં
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy