SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ અજિતદેવ તીર્થકર ભગવાન વિજયસિંહ આચાર્ય મહારાજને કહી રહ્યા છે “તું સમુદ્રદત્ત તે હજી વેયકમાં છે, પણ પિલા મંગળને છઠ્ઠી નરકે બાવીસ સાગરેપમને કાળ પૂરો થયે, તે ત્યાંથી બહાર નીકળી આજ મહાવિ. દેહમાં આજ વિજયમાં રાષ્ટ્રવર્ધન ગામમાં વેલ્લિતક ચંડાબને ત્યાં બેકડો થયો. એ મોટો થતાં, બીજા બેકડાઓની સાથે જયસ્થળ નામના નગરમાં તેને લઈ જવામાં આવે છે. રસ્તે જતાં પાછે ભવિતવ્યતાએ નિધાનના પ્રદેશ આગળ આવે છે. એ દેશને એને પૂર્વે ખ્યાલ છે, પૂર્વે ખૂબ પરિચય છે, તેથી તે પ્રદેશ જેતા જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વજન્મનું સ્મરણ થયું! પણ તેથી શું ? હું મંગળીયે નેકર... આ મારૂં નિધાન. પણ મારા કામમાં ન લાગ્યું.” પશુને લેભ હેય? હા, લેભને અભ્યાસ કરીને આવ્યું છે, તે હેય. પૂર્વજીવનના અભ્યાસથી તેનું અહીં ઉદ્બોધન થયું. પણ તે એના માટે એકલે અનર્થકારી નીવડ વાને છે. માટે જ માનવભવે, એવા અભ્યાસ ન પડી જાય એ ખાસ જરૂરી છે. બેકડે ત્યાં ઉભું રહી ગયે; ખસતે નથી, ચંડાળ દંડ લગાવે છે. દંડો પડે એટલે ચાલવા માંડયું. પણ ધણની નજર ચૂકી, કે પાછો નિધાન આગળ આવીને ઉભે. ફરી ચંડાળ આવે, ને દંડ લગાવ્યું, તે પાછો ચાલે. પણ જાતિસ્મરણથી નિધાન તે હવે કેટે વળગ્યું છે, તે શાને આગળ જાય? જાતિસ્મરણ જ્ઞાનને શું ઉપયોગ જે લેભના સંસ્કાર કાયમ છે? તેમ આપણને જાતિસ્મરણ થઈ જાય. પણ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy