SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સમરાદિત્ય તરીકેને છેલ્લે જન્મ પામ્યા ત્યાં સુધી, મનુષ્ય તરીકેના ભામાં અગ્નિશર્મા એમની સામે મોતને મેરા માંડીને વેરની વસૂલાત લેતે રહ્યો. એકે વેર વાળવામાં કમીના ન રાખી. તે બીજાએ સહિષ્ણુ બની વાત્સલ્ય વરસાવવામાં આગળ-પાછળને વિચાર ન કર્યો ! ગુણસે ક્ષમાના સથવારે સથવારે, અનેકવાર સ્વર્ગીયસુખ પામીને અંતે સમરાદિત્ય કેવળી બન્યા. ત્યારે વેરની વસૂલાત માટે ધમપછાડા મારતે અગ્નિશર્મા, ધના પનારે પડીને નારકના અગણિત ભયંકર-દુખ સહતે અનંત સંસારમાં રઝળપાટ નક્કી કરી ગયે! ગુણ સેનથી માંડીને સમરાદિત્ય તરીકેના સંસાર-ભ્રમણમાં, અગ્નિશમાં એમની સાથે અનેકવાર લેહીના સગપણે પણ જોડાયે. પરંતુ ત્યારે એણે તે સંહારની સમશેર જ ઉગામી. એકપખા વેરના પણ અંજામ તે જુઓ! ગુણસેનઅગ્નિશર્મા એ-સિંહ-આનંદ તરીકે પિતા-પુત્ર થયા, ત્યારે આનંદ પિતૃ હત્યારે બન્યશિખીકુમાર-જાલિની તરીકે દીકરો-મા બન્યા, ત્યારે માએ પુત્રના પ્રાણ લીધા ધન ધનશ્રીના રૂપમાં પતિ-પત્ની બન્યા ત્યારે પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું. જય-વિજ્ય નામે સગાભાઈ થયા, ત્યારે નાનાભાઈએ મેટાભાઈને મૃત્યુના ખપ્પરમાં હોમી દીધે. રે! એકપખા વેર! તારે અંજામ આટલે બધે દદલે કે, લેહીના સંબધે પણ એ વેરને શાંત ન કરી શક્યા?
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy