SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી નોકરનું કહ્યું તે માનતું નથી. “ના, એ કામ આપણું નહિ. મેં તને જે કહ્યું હતું કૌતુકરૂપે, કે આ વસ્તુ આવી હેવી જોઈએ, તે કહેવા પુરતું જ. બાકી એની બહુ પરવા કરવાની નથી, તેથી જ તપાસ કરવાની જરૂર નથી. એવા લેભ શા માટે રાખવા?” આનું નામ ધર્મની છાયા. શ્રાવકપણને ધર્મ લીધે છે ને? તેથી જ જે કે અહીં સંભવ લાગે છે કે અહિંયા પૈસા છે, છતાં એને મન જેવાનું કામ નથી !! ધર્મની કેટલી બધી સુંદર અસર !! પૈસા માટે તે માણસ કેટલી મજૂરી કરે છે? જ્યારે આ મફત મળે છે, છતાં એ લેવાની વાત નહિ ! કેમકે ધર્મની છાયા ! ધર્મની છાયા આ શિખવે છે કે “તું જે આરંભને પરિગ્રહ કરે છે, તેનાથી તારૂં જીવન નભે છે ને? બસ, તે પછી વધુ પરિગ્રહ કે આરંભ કરવાથી શું વિશેષ? પાંચ મેટર છે પણ ફરવાનું તે એક જ મોટરમાં ને ? સાતે મજલાને બંગલે છે, પણ સુવાનું તે એક મજલે જ ને? પરિગ્રહ વધ્યાથી ભેગ વળે? ત્યારે વધારે આરંભથી જીવનમાં શું વધે છે? એક બે અનાજ રાખતા હતા, તેના બદલે એક કેઠી રાખી, પણ આ પેટની કેડી ક્યાં મોટી થવાની છે? એ તે જે સમાવતી હશે તેટલું જ સમાવશે. પણ માણસ પિતાની માનેલી કલ્પનામાં એ તણાય છે કે એને પછી પાપની કોઈ લિમિટ (મર્યાદા) જ નહિ. કેમકે ધર્મની સ્પર્શના નથી! પરંતુ આ સમુદ્રદત્તને ધર્મની સ્પશના છે, એટલે વિચારે કે, “આપણી પાસે જે છે, તે ઘણું છે. મારે આ નવી લપનું શું કામ છે?”
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy