SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 32 અશ્વકર્ણકરણાદ્ધા સર્વજીવથી અનંતગુણ રસાણ અધિક હોય તેવા પરમાણુઓ હોય છે. તેથી આની પૂર્વેની વર્ગણાઓ નથી મળતી. આ સર્વજીવથી અનંતગુણ અધિક રસાણુવાળા પરમાણુઓનો સમૂહ તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. તેનાથી જેમાં એક રસાણ અધિક હોય તેવા પરમાણુઓનો સમૂહ તે બીજા સ્પર્ધકની બીજી વર્ગણા. તેના કરતા જેમાં એક રસાણ અધિક હોય તેવા પરમાણુઓનો સમૂહ તે બીજા સ્પર્ધકની ત્રીજી વર્ગણા, એમ થાવત્ અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનો સમૂહ તે બીજુ સ્પર્ધક. આ રીતે સત્તામાં અનંતા રસસ્પર્ધકો હોય છે. સ્પર્ધકો થવાનું કારણ એ છે કે ક્રમશઃ એક એક અધિક રસાણુવાળી અભવ્યથી અનંતગુણ વર્ગણાઓ થયા પછી અવશ્ય આંતરુ પડે છે. તેથી આંતરા પછી નવા નવા સ્પર્ધકોની શરુઆત થાય છે. વળી પહેલા રસસ્પર્ધકની પ્રથમવર્ગણામાં રસાણુઓ સૌથી થોડા છે અને પ્રદેશો સૌથી વધારે છે. તેના કરતા બીજી વગેરે વર્ગણાઓમાં ક્રમશઃ રસાણુઓ એક એક અધિક હોય છે અને પ્રદેશો ઓછા હોય છે. પ્રદેશોની અપેક્ષાએ અનંતરોપનિધા-પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણા કરતા બીજી વર્ગણામાં પ્રદેશો વિશેષહીન છે, તેના કરતા ત્રીજી વર્ગણામાં પ્રદેશો વિશેષહીન છે, તેના કરતા ચોથી વર્ગણામાં પ્રદેશો વિશેષહીન છે. એમ યાવત્ છેલ્લા સ્પર્ધકની છેલ્લી વર્ગણા સુધી જાણવું. પ્રદેશોની અપેક્ષાએ પરંપરોપનિધા - પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાના પ્રદેશો કરતા ત્યારપછીના અમુક (અનંત) સ્પર્ધકો વીત્યા પછીના સ્પર્ધકની પ્રથમવર્ગણામાં પ્રદેશો અડધા થઈ જાય છે. વળી ત્યાર પછી તેવી જ રીતે તેટલા સ્પર્ધકો વીત્યા પછીના સ્પર્ધકની પહેલી વર્ગણામાં પ્રદેશો અડધા છે. એમ આગળ પણ જાણવું. દ્વિગુણહાનિઆયામ - પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાના પ્રદેશો કરતા ત્યાર પછી જેટલા સ્પર્ધકો વીત્યા પછીના સ્પર્ધકની પહેલી વર્ગણામાં અડધા પરમાણુ હોય તેટલી લંબાઈને એક દ્વિગુણહાનિ કહેવાય એક દ્વિગુણહાનિમાં અનંતા સ્પર્ધકો છે. એક સ્પર્ધકમાં અનંત વર્ગણાઓ છે. એક દ્વિગુણહાનિની કુલ વર્ગણા તે દ્વિગુણહાનિઆયામ. દરેક દ્વિગુણહાનિઆયામમાં સ્પર્ધકોની તથા વર્ગણાઓની સંખ્યા સમાન છે. ચય - પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણા કરતા બીજી વર્ગણામાં જેટલા પ્રદેશો હીન થાય તે ચય. તેવી રીતે બીજી વર્ગણા કરતા ત્રીજી વર્ગણામાં જેટલા પ્રદેશો હીન થાય તે પણ ચય. ચય એટલે પછીની વર્ગણામાં પૂર્વેની વર્ગણા કરતા પ્રદેશોનું તીનપણું. એક દ્વિગુણહાનિ સુધી ચય એક સમાન રહે છે. ત્યારપછીની દ્વિગુણહાનિમાં ચય અડધો થાય છે. એમ ઉત્તરોત્તર દ્વિગુણહાનિમાં ચય અડધો અડધો થાય છે. 1. અનંતરોપનિધા - ઉપનિધા એટલે શોધવુ. પછી પછીની વર્ગણામાં શોધવુ તે અનંતરોપનિધા. 2. પરંપરોપનિધા - પરંપરાએ (અમુક આંતરા પછીની) વર્ગણાઓમાં શોધવું તે પરંપરોપનિધા.
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy