SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ 336 સયોગીકેવળી ગુણસ્થાનક જવાબ- બીજા સમયે દંડરૂપ આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ લંબાવી કપાટ કરે છે, એટલે તે સમયે શરીરની અવગાહના (ઉંચાઇ) છે તેટલા સ્થાનમાંથી જે આત્મપ્રદેશો પૂર્વ-પશ્ચિમ લંબાવવાના છે તે શરીરમાંથી કાઢવાના છે, બાકી ઉપર-નીચેના દંડને પૂર્વ-પશ્ચિમ લંબાવે છે તે આત્મપ્રદેશો પહેલા સમયે શરીરમાંથી કાઢી દંડમાં આવેલા જ છે. એટલે શરીરમાંથી નવા આત્મપ્રદેશો પ્રથમ સમય કરતા બીજા સમયે અસંખ્યગુણહીન બહાર કાઢે છે. ત્રીજા સમયે કપાટરૂપ આત્મપ્રદેશોને ઉત્તર-દક્ષિણ લંબાવી પ્રતર કરે છે. તે સમયે શરીરની અવગાહના છે તેટલા સ્થાનમાંથી જે આત્મપ્રદેશો ઉત્તર-દક્ષિણ લંબાવવાના છે તે શરીરમાંથી કાઢવાના છે, બાકીના કપાટને જે ઉત્તર-દક્ષિણ લંબાવે છે તે આત્મપ્રદેશો પહેલાથી શરીરમાંથી કાઢેલા જ છે. એટલે શરીરમાંથી નવા આત્મપ્રદેશો બીજા સમય કરતા ત્રીજા સમયે અસંખ્યગુણહીન બહાર કાઢે છે. સમુદ્યાતમાં યોગ - પ્રથમ તથા અંતિમ સમયે ઔદારિક કાયયોગ હોય છે, બીજા-છઠા-સાતમા સમયે ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે તથા ત્રીજા-ચોથા-પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. પંચસંગ્રહવૃત્તિ, પન્નવણાવૃત્તિ આદિમાં ટીકાકાર શ્રીમલયગિરિ મહારાજે કહ્યું છે કે ત્રીજા સમયે મંથાન કરે છે. તેમજ પ્રથમ સમયે તેમણે દંડ કહ્યો છે, પરંતુ એમાં પ્રદેશ સ્થાપવાનું કહ્યું નથી. મંથાનનો અર્થ કોઇ વૃત્તિ આદિમાં દેખાયો નથી, પરંતુ સંભવ છે કે પ્રતરનો જ અન્ય શબ્દ મંથાન હોય. કષાયપ્રાભૃતના દિગંબર ટીકાકાર જયધવલામાં લખે છે - “વસ (વંથસ) વેવ પરસ0 રુસિUUIT 2 મારુઢિવાત્રે રડ્યા ' - ભાગ 16, પાના નં. 155. બીજા સમયે પૂર્વ-પશ્ચિમ જ આત્મપ્રદેશો પ્રસરાવી કપાટ કરે કે કોઇ ઉત્તર-દક્ષિણ પણ પ્રસરાવીને કરે તેનો સ્પષ્ટ ઉલ્લેખ આવશ્યકચૂર્ણિમાં નથી આપ્યો, કેમકે ત્યાં કહ્યું છે - “તત ક્રિતી સમયે પદં વર્વત્તિ, तत्समय एव चौदारिकमिश्रकाययोगो भवति, कपाटकमिति कोऽर्थः ? कपाटकमिव कपाटकम्, क 1. દિગંબર ગ્રંથકારો સમુદ્ધાતમાં પહેલા-સાતમા-આઠમા સમયે ઔદારિક કાયયોગ, બીજા-છઠા સમયે ઔદારિકમિશ્ર કાયયોગ અને ત્રીજા-ચોથા-પાંચમા સમયે કાર્પણ કાયયોગ માને છે - “સાર્વે સમય પટરૂપ અવસ્થા પ संकोच होकर दंड समुद्धातरूप अवस्था होती है। इसमें औदारिक काययोग प्रगट हो जाता है।' કેટલાક દિગંબરાચાર્યો અંતિમસમયને ન ગણતા આત્મપ્રદેશોના સંકોચના ત્રણ સમય ગણે છે - “ફ નોપૂર. अनंतरि प्रथमसमयविर्षे लोकपूरणकौं समेटि प्रतररूप आत्मप्रदेश करै है द्वितीयसमयविर्षे प्रतर समेटि कपाटरूप आत्मप्रदेश करै है। तीसरे समय कपाट समेटि दंडरूप आत्मप्रदेश करै है। ताके अनंतरि चौथा समय विषै दंड समेटि सर्वप्रदेशमूल शरीरविर्षे प्रवेश करै है। इहां समुद्धात क्रियाके करने समेटने विर्षे सात समय भए / तहां दंडके दोय समयनिवि औदारिक काययोग है / जाते इहां अन्ययोग न संभवै हैं / बहुरि कपाटके दोय समयनिविर्षे औदारिकमिश्रकाययोग हैं / जातें इहां मूल औदारिकशरीर अर कार्मण शरीर इन दोऊनिका अवलंबन करि आत्मप्रदेश चंचल हो है / बहुरि प्रतरके दोय समय अर लोकपूरणका एक समयविर्षे कार्मण काययोग है / जातें तहां मूल शरीरका अवलंबन करि आत्मप्रदेश चंचल न हो है / वा शरीरयोग्य नोकर्मरूप पुद्गलकौं नाही ग्रहण करें हैं। तहां अनाहारक है ऐसा जानना / पीछे मूल शरीरवि प्रवेशकरि तिस शरीरप्रमाण आत्मा भया / तहां औदारिक વાયા હી હૈ' - ક્ષપણાસાર ગાથા ૬૨૭ની હિંદી ટીકા.
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy