SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 319 સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક 4) સંજવલન લોભનો બંધવિચ્છેદ તથા બાદર સંજવલન લોભનો ઉદયવિચ્છેદ થાય છે, એટલે કે સંજવલન લોભના બંધનો ચરમ સમય થાય છે અને બાદર સંજવલન લોભના ઉદયનો ચયમ સમય થાય છે. 5) સંજવલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતકર્મોનો સ્થિતિબંધ અંકોદિવસ (દિવસની અંદર) પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ અંતોવર્ષ (વર્ષની અંદર) પ્રમાણ થાય છે. 8) સંજવલન લોભની સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. 9) શેષ ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 10) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યવર્ષ પ્રમાણ થાય છે. [ પ્રકૃતિ સ્થિતિબંધ સ્થિતિસત્તા સંજવલન લોભ | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત (બંધ કરતા સંખ્યાતગુણ) શેષ ઘાતી ત્રણ અંતોદિવસ સંખ્યાતા હજાર વર્ષ અઘાતી ત્રણ અંતો વર્ષ અસંખ્ય વર્ષ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનક પૂર્ણ થાય ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાંથી સૂક્ષ્મકિટિઓને ખેંચી તેની દશમ ગુણસ્થાનકના કાળ જેટલી પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. અહીં સ્થિતિઘાત પહેલાની જેમ ચાલુ છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના પ્રથમ સ્થિતિઘાત દરમિયાન સત્તાગત સ્થિતિના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત થાય છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના પ્રથમ સમયે જે પ્રદેશોને ખેંચે છે તેને ઉદયસમયથી અંતર્મુહૂર્ત સુધી અસંખ્યગુણાકારે ગોઠવે છે. આને ગુણશ્રેણી કહેવાય છે. અહીં સ્થિતિખંડની તથા સ્થિતિખંડની નીચેની 1. ક્ષપણાસારમાં અહીં થતી ગુણશ્રેણિ અવસ્થિત કહી છે. એટલે કે જેમ જેમ ગુણશ્રેણિનો એક એક સમય ઉદય દ્વારા ક્ષીણ થતો જાય છે તેમ તેમ અનંતરવર્તી અંતરાયામનો એક-એક સમય ગુણશ્રેણિઆયામમાં આવે છે, એટલે ગુણશ્રેણિઆયામ તેટલો જ રહે છે. અહીં ગુણશ્રેણીઆયામ જ્ઞાનાવરણાદિના ગુણશ્રેણિઆયામ કરતા અંતર્મુહૂર્ત ઘટતો છે. તહાં સૂક્ષ્મણપરીયા નો વનિતા વિઠ્ઠવિશેષરમધાતી બી ઢાં જંગવત જ્ઞાનાવરની गुणश्रेणिआयामतें अंतर्मुहूर्तमात्र घटता ऐसा इहां गुणश्रेणि आयाम है सो यहु उदयादि अवस्थित है। उदयरूप जो वर्तमान समय तातें लगाय यहु पाइए है / पूर्ववत् उदयावली भए पीछे नाहीं है, तातें उदयादि कहिए है / बहुरि अवस्थिति प्रमाण लीए है / पूर्वै गलितावशेष गुणश्रेणि आयामविषै एक एक समय व्यतीत होतें गुणश्रेणि आयामविषै घटता होता था, अब एक एक समय व्यतीत होते ताके अनंतरवर्ती अन्तरायामका एक एक समय મિનિ TUાળિ માથામાં નેતાજ તેતા હૈ, તાતેં અવસ્થિત ઋuિ - ક્ષપણાસાર ગા. 583 ની હિંદી ટીકા.
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy