SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ કિટિંવેદનાદ્ધા 295 આવલિકામાં બંધાયેલ દલિક સિવાયના શેષ દ્રવ્યનો નાશ થાય છે, એટલે કે યથાસંભવ અન્યત્ર સંક્રમી શેષ સર્વ દ્રવ્ય સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વઅધસ્તનકિઠ્ઠિઓરૂપે પરિણમે છે. આમ થતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિનું સર્વદ્રવ્ય જે પૂર્વે હતુ તેના કરતા લગભગ 23 ગણુ થાય, કેમકે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનું લગભગ 22 ગણુ દ્રવ્ય તેમાં આવ્યું. આમ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંજ્વલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા તથા સૂક્ષ્મકિષ્ટિકરણાદ્ધા - સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિને ખેંચી તેની બાકી રહેલ અનિવૃત્તિકરણના કાળથી એક આવલિકા અધિક જેટલી પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. તે જ સમયે બીજી સ્થિતિમાં રહેલ સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિ અને ત્રીજી સંગ્રહકિટ્ટિના પ્રદેશોમાંથી સૂક્ષ્મકિઠ્ઠિઓની રચના કરે છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધામાં સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અને સૂક્ષ્મકિઠ્ઠિઓમાં સંક્રમે છે, સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિના દલિકો માત્ર સૂક્ષ્મકિટ્ટિમાં જ સંક્રમે છે. તે દ્રવ્યનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - 1) સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી સૂક્ષ્મકિષ્ટિમાં જતું દ્રવ્ય અલ્પ છે. 2) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાંથી ત્રીજી સંગ્રહકિટ્ટિમાં જતુ દ્રવ્ય સંખ્યાતગુણ છે. (લગભગ 23 ગુણ, કેમકે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય લગભગ 23 ગુણ છે.) 3) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્રિમાંથી સૂક્ષ્મકિષ્ટિમાં જતુ દ્રવ્ય સંખ્યાતગુણ છે, 23 24 24 1. પણાસારની અપેક્ષાએ 24 ગુણ છે, કેમકે સંજવલન લોભના કુલ દ્રવ્યનો - ભાગ ત્રીજી સંગ્રહકિષ્ટિમાં છે તથા ભાગ બીજી સંગ્રહકિષ્ટિમાં છે. હવે ભાગને અપકર્ષણ ભાગહારથી ભાગતા 1 ભાગ જેટલુ દ્રવ્ય ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી સૂક્ષ્મકિષ્ટિમાં સંક્રમે છે. બીજી સંગ્રહકિષ્ટિનું દ્રવ્ય ભાગ હોવાથી તેને અપકર્ષણ ભાગહારથી ભાગીએ તે કરતા 23 ગુણ દ્રવ્ય બીજી સંગ્રહકિટ્ટિમાંથી ત્રીજી સંગ્રહકિટ્રિમાં સંક્રમે છે. તેના કરતા 24 ગુણ એટલે - દ્રવ્યને અપકર્ષણ ભાગહારથી ભાગીએ તેના કરતા 23 x 24 = પેપર ગુણ દ્રવ્ય બીજી સંગ્રહકિટ્ટિમાંથી સૂક્ષ્મકિટિમાં સંક્રમે છે. 24. 24 1 - દ્રવ્ય 24. = અ અપકર્ષણ ભાગહાર
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy