SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ 284 કિટ્ટિકરણોદ્ધા અહીં બધો અધિકાર સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા તુલ્ય સમજી લેવો. પ્રથમ સમયે અવાંતરકિઠ્ઠિઓનું અને તેના દલિકનું અલ્પબદુત્વ પણ પૂર્વની જેમ જાણવુ. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિનો નાશ થઇ ગયો છે અને સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિટ્ટિઓ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ કરતા સંખ્યાતગુણ છે. એટલે સંજવલન માનની ત્રણ સંગ્રહકિટ્ટિ, સંજવલન માયાની ત્રણ સંગ્રહકિષ્ટિ અને સંજવલન લોભની ત્રણ સંગ્રહકિટ્ટિ એમ નવ સ્થાન ઉત્તરોત્તર વિશેષાધિકના આવે. ત્યાર પછી એટલે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિટ્ટિ કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં સંખ્યાતગુણ અવાંતરકિઠ્ઠિઓ આવે. એટલે અલ્પબદુત્વ આ પ્રમાણે થાય - 1) સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્રિમાં અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્રિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. 5) તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. 6) તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 7) તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 8) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 9) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. 10) તેના કરતા સંવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. સંક્રમવિધિ પણ પહેલાની જેમ જાણવી, એટલે કે કોઈ પણ કષાયની કોઈ પણ સંગ્રહકિટ્ટિના દલિકો તે કષાયની ત્રીજી સંગ્રહકિષ્ટિ સુધી અને પછીના કષાયની પ્રથમ સંગ્રહકિષ્ટિ સુધી સંક્રમે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે 1) સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે, એટલે કે બંધનો અને ઉદયનો ચરમ સમય થાય છે. 3) સંજવલન ચારનો સ્થિતિબંધ બે માસ પ્રમાણ થાય છે. 4) સંજવલન ચારની સ્થિતિસત્તા ચાર વર્ષ પ્રમાણ થાય છે. પ) શેષ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ વર્ષપૃથક્ત પ્રમાણ થાય છે.
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy