SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કિટ્ટિવેદનાદ્ધા 281 ચરમાવલિકાનું દ્રવ્ય પછીની વેદ્યમાન સંગ્રહકિટ્ટિમાં તિબુકસંક્રમથી સંક્રમાવે છે, એમ જાણવુ. બે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલ દલિક તેટલા કાળે યથાયોગ્ય રીતે સંક્રમાવે છે. એમ આગળ પણ જાણવું. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની વેદકાદ્ધામાં પણ ઉદય, બંધ, અગ્રભાગથી કિઠ્ઠિઓનો ઘાત, સંક્રમદ્રવ્ય તથા બંધદ્રવ્યમાંથી અપૂર્વકિષ્ટિની રચના વગેરે વિધાન પ્રથમ સંગ્રહકિથ્રિવેદકાદ્ધાની માફક જાણી લેવુ. સંક્રમવિધિ - સંક્રમવિધિ પણ પૂર્વની માફક જાણવી એટલે કે સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિનું દલિક સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અને સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સંક્રમાવે છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિનું દલિક સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમાવે છે. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિનું દલિક સંજવલન માનની બીજી-ત્રીજી સંગ્રહકિટ્રિમાં અને સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સંક્રમાવે છે. સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિનું દલિક સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અને સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમાવે છે. સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિનું દલિક સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમાવે છે. સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દલિક સંજવલન માયાની બીજી-ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અને સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સંક્રમાવે છે. સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિનું દલિક સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અને સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમાવે છે. સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિનું દલિક સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમાવે છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દલિક સંજવલન લોભની બીજી-ત્રીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમાવે સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિનું દલિક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્રિમાં સંક્રમાવે છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિનું દલિક અન્યત્ર સંક્રમિતુ નથી, કેમકે અનાનુપૂર્વી સંક્રમ થતો નથી, અને તેથી જ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની જેમ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં પણ દ્રવ્ય આવતુ નથી, માટે શેષ દશ સંગ્રહકિઠ્ઠિઓમાં સંક્રમદ્રવ્ય અપાય છે. તે પૂર્વે કહ્યા મુજબ પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓમાં અપાય છે. બંધ - પ્રશન - સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિને વેદતા ચારે કષાયની શું બીજી સંગ્રહકિટ્ટિ બાંધે ?
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy