SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ કિટિંવેદનાદ્ધા 279 અધસ્તનશીર્ષીયો જેટલુ અધસ્તનશીર્ષીયદ્રવ્ય અને પસાર થયેલી બધી પૂર્વ-અપૂર્વકિઠ્ઠિઓ ન્યૂન સર્વ કિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચયો જેટલુ ઉભયચયદ્રવ્ય અપાય છે. ત્યાર પછી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં ઘાતદ્રવ્યમાંથી એકોત્તરવૃદ્ધિથી અધસ્તનશીર્ષીયો, એકોત્તરહાનિથી ઉભયચયો અને એક-એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે. આમ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી ઘાતદ્રવ્ય અપાય જાય એટલે બધુ ઘાતદ્રવ્ય સમાપ્ત થઈ જાય છે. અહીં દીયમાન દ્રવ્યના અનંત ઉષ્ટ્રકૂટો થાય છે. જેમ ઉંટની પીઠ ઊંચી-નીચી હોય છે તેમ અહીંદીયમાન દ્રવ્ય પણ ક્યાંક ઘણુ છે, ક્યાંક ઓછુ છે, ક્યાંક ફરી અધિક છે, ક્યાંક ફરી ઓછુ છે. અવાંતરકિઠ્ઠિઓના આંતરામાં રચાતી અપૂર્વકિઠ્ઠિઓ અનંત હોવાથી દીયમાન દ્રવ્યના અનંત ઉષ્ટ્રકૂટો કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે થાય છે. કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે જે રીતે દ્રવ્ય અપાય છે તે જ રીતે કિટ્ટિવેદનાદ્ધાના બીજા વગેરે સમયોમાં પણ દ્રવ્ય અપાય છે. દશ્યમાન દ્રવ્ય બધી પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓમાં ઉત્તરોત્તર અનંતમો ભાગ ન્યૂન હોય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદકાદ્ધાના ચરમસમયે એટલે કે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે (1) સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. (2) સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનો ઉદયવિચ્છેદ થાય છે, અર્થાત્ ઉદયનો ચરમ સમય થાય છે. (3) સંજવલન ચારની સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 100 દિવસ પ્રમાણ થાય છે. (4) સંજવલન ચારની સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન 6 વર્ષ 8 માસ પ્રમાણ થાય છે. (5) શેષ ઘાતકર્મોનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન ૧૦વર્ષ પ્રમાણ થાય છે. (6) શેષ ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. (7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. (8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. ( ક. | પ્રકૃતિ | સ્થિતિબંધ | સ્થિતિસત્તા | 1 | સંજવલન ચાર | અંતર્મુહૂર્ત ન્યૂન 100 દિવસ | અંતર્મુહૂર્ત ન્યૂન 6 વર્ષ 8 માસ 2 | શેષ ઘાતી ત્રણ | અંતર્મુહૂર્તધૂન ૧૦વર્ષ | સંખ્યાતા હજાર વર્ષ | 3 | અઘાતી ત્રણ | સંખ્યાતા હજાર વર્ષ | અસંખ્યાતા હજાર વર્ષ (9) સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં રહેલ કિઠ્ઠિઓ અને સમય
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy