SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (a) નરકાનુપૂર્વી નામકર્મ :- જે કર્મના ઉદયથી વક્રગતિથી નરકગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે. (b) તિર્યંચાનુપૂર્વી નામકર્મ :- જે કર્મના ઉદયથી વક્રગતિથી તિર્યંચગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે. (c) મનુષ્યાનુપૂર્વી નામકર્મ :- જે કર્મના ઉદયથી વક્રગતિથી મનુષ્યગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે. (d) દેવાનુપૂર્વી નામકર્મ :- જે કર્મના ઉદયથી વક્રગતિથી દેવગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે. ૧૪) વિહાયોગતિ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવને તેવી તેવી ચાલ મળે તે. તેના બે ભેદ છે. તે આ પ્રમાણે (a) શુભ વિહાયોગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને હાથી, બળદ, હંસ વગેરેની જેમ સુંદર ચાલ મળે તે. (b) અશુભ વિહાયોગતિ નામકર્મ :વગેરેની જેમ ખરાબ ચાલ મળે તે. જે કર્મના ઉદયથી જીવને ઉંટ, ગધેડા આમ પિંડપ્રકૃતિના કુલ પેટા ભેદ = 4 + 5 + 5+3+15+5+6+ 6+5+2+5+8+4+2 = 75. (ii) પ્રત્યેક પ્રકૃતિ :– જે કર્મોના કોઇ પેટાભેદો નથી તે. તે આઠ છે. તે આ પ્રમાણે ૧) અગુરૂલઘુ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરૂ (ભારે), લઘુ (હલકુ) કે ગુરૂલઘુ ન થાય, પણ ચાલવા વગેરેની પ્રવૃત્તિ કે થઇ શકે તેવું અગુરૂલઘુ પરિણામવાળું થાય તે. ૨) ઉપઘાત નામકર્મ – જે કર્મના ઉદયથી પડજીભ, ચૌરદંત, રસોળી વગેરે પોતાના જ અવયવોથી પોતે હણાય, અથવા ગળે ફાંસો ખાઇને, ખીણમાં ભૂસકો મારીને વગેરે દ્વારા આપઘાત કરે તે. ૩) પરાઘાત નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ પોતાની પ્રતિભાથી બીજાને ક્ષોભ પમાડે. ૪) ઉચ્છવાસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છ્વાસ લબ્ધિ મળે તે. ૩૬ જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy