SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ - ચૌદ ગુણસ્થાનકે કર્મોતી ઉદીરણા ) ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા અર્થાત્ ઉદયમાં નહીં આવેલા કર્મયુગલોને જીવના વિશેષ પ્રકારના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ભોગવવા તે ઉદીરણા. ક્યા ગુણસ્થાનકે કેટલી પ્રકૃત્તિની ઉદીરણા હોય ? તે અહીં બતાવાશે. ચૌદ ગુણસ્થાનકે ઉદીરણા ચૌદ ગુણસ્થાનકે ઉદયની જેમ જ છે, માત્ર થોડો ફેરફાર છે. તે આ પ્રમાણે ૧) મનુષ્યાયુષ્ય, સાતાવેદનીય અને અસતાવેદનીયનો ઉદય ૧૪મા ગુણસ્થાનક સુધી છે, પણ ઉદીરણા ૬ઢા ગુણસ્થાનક સુધી જ છે, કેમકે અપ્રમત્તાવસ્થામાં આ ત્રણ પ્રકૃતિઓની ઉદીરણા થતી નથી. ૧૪માં ગુણસ્થાનકે કોઇપણ કર્મની ઉદીરણા થતી નથી, કેમકે ઉદીરણા યોગસહિતના અધ્યવસાયથી થાય છે અને ૧૪માં ગુણસ્થાનકે અયોગીપણું તેથી ૧લા ગુણસ્થાનકથી ૬ઢા ગુણસ્થાનક સુધી ઉદયમાં જેટલી પ્રકૃતિઓ છે તેટલી જ પ્રકૃતિઓ ઉદીરણામાં છે. ૬ઢા ગુણસ્થાનકને અંતે મનુષ્પાયુષ્ય, સાતા, અસાતાનો ઉદીરણાવિચ્છેદ થાય. ૭માં ગુણસ્થાનકથી ૧૩માં ગુણસ્થાનક સુધી ઉદયમાં જેટલી પ્રકૃતિ છે તેના કરતા ઉદીરણામાં ૩-૩ પ્રકૃતિઓ ઓછી છે. ૧૩માં ગુણસ્થાનકને અંતે ૩૯ પ્રકૃતિઓનો ઉદીરણાવિચ્છેદ થાય. ૧૪મા ગુણસ્થાનકે કોઇપણ પ્રકૃતિની ઉદીરણા ન થાય. ચૌદ ગુણસ્થાનકે ઉત્તર પ્રવૃતિઓની ઉદીરણા ગુણ- ઉદીરણામાં ઉદીરણાવિચ્છેદ, અનુદીરણા | હતુ સ્થાનક | પ્રકૃતિ, વગેરેની વિગત સામાન્યથી વરર ઉદયની જેમ ૧૭ | ૧૧૭ સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, ઉદયની જેમ આહારક ૨, જિનનામકર્મ-આ પની અનુદીરણા, સૂક્ષ્મ ૩, મિથ્યાત્વ | ( ૯૮ 9 ) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન....
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy