SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કુવલયમાલા | ૩૭ હલકે કે સિનગ્ધભાવ દેહને વિષે પામે છે. જીવ ખાટે નથી, મધુર નથી, કડો કે તીખ નથી, કષાય કે ખારે નથી; શરીરમાં રહેલે કહેવાથી દુર્ગધી છે સુગંધી ભાવને તે પામે છે. તે શરીરની અંદર ઘટ-પટ રૂપ નથી, તેમ જ સર્વવ્યાપી કે માત્ર અંગૂઠા જેવડો પણ -જીવ નથી. પિતાના કર્મોનુસાર ગ્રહણ કરેલા દેહ પ્રમાણે અને નખ દાંત કેશવજિત બાકીના શરીરમાં વ્યાપેલે છે. જેમ તલમાં તેલ અથવા રૂપમાં સુગંધ અ ન્ય વ્યાપેલાં છે તેમ દેહ અને જીવ પરસ્પર એકબીજાની અંદર વ્યાપીને રહેલા છે. જેમ શરીર ઉપર તેલ કે ચીકાશ લાગેલ હોય અને આપણી જાણ બહાર ધૂળ લાગી જાય તેમ રાગદેષ રૂપી સ્નિગ્ધ કર્મ લાગી જાય છે. જેમ જીવ કેઈ જગ્યા પર જાય તે શરીર પણ સાથે જાય છે તેવી રીતે મૂર્ત કર્મ પણ જીવની નિશ્રાએ સાથે જ જાય છે. જેમ મોર પીછાંઓ સાથે ઊડીને જાય છે તેમ જીવ પણ કર્મસમૂહથી પરિવરેલે જ જાય છે. -જેમ કોઈ પુરુષ રઈ કરી પોતે જ તેને ખાય છે તેમ જીવ પણ પિતે જ કર્મ કરી સ્વયં ભગવે છે. જેમાં વિશાળ સરોવરમાં ગુંજારવ કરતા વાયરાથી હડ નામનું ઘાસ આમ તેમ હાલે છે તેમ સંસારસમુદ્રમાં કર્મ વડે પ્રેરિત છવ ભ્રમણ કરે છે. જેમ કોઈ માણસ જીર્ણ ઘરમાંથી નીકળી નવીન ઘરમાં જાય છે તેમ જીવ પણ જૂને દેહ છોડી -નવીન દેહમાં પ્રવેશ કરે છે. જેમ મીણમાં છુપાવેલું રત્ન અંદરથી સ્કુરાયમાન કાંતિવાળું છતાં કઈક જ જાણે છે તેમ ગૂઢ કર્મસમૂહને કેઈક જ જ્ઞાની જીવ જાણી શકે છે.' જેમ દીવ ઊંચા, વિશાળ અને લાંબા ઉત્તમ ઘરમાં હોય તે પ્રકાશ ફેલાવે છે અને બે શકેરાં વરચે રાખેલે હેય તે તેટલા જ ભાગમાં પ્રકાશ કરે છે, તેમ જીવ પણ લાખ જોજન ઊંચે દેહ હેય તે તેને પણ સજીવન કરે છે અને કુંથુના શરીરમાં પ્રવેશ કરે તે. તેટલા જ માત્ર દેહથી સંતુષ્ટ રહે છે. જેમ આકાશતલમાં જ પવન
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy