SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ | પડિલેહા સૂરિના શિષ્ય સુપ્રસિદ્ધ કવિવર નયસુંદરની શિષ્યા તે સાવિત્રી હેમશ્રીએ ઈ.સ. ૧૫૮૮ માં આ કૃતિની રચના કરેલી છે. વૃધ તપાગચ્છ મંડન દિનકર, શ્રી ધનરત્ન સુરીરાય, અમરરત્ન સરિ પાટપટાધર, ભાનુમેરુ શિષ્ય કહેવાય, ગુણગણધર મંડિત વઈરાગી, નયસુંદર રષિરાય, વાચક માંહિ સુષ્ય ભણુજઈ, તસ સિખ્યણું ગુણ ગાય, કથામાંહઈ કહઈ રસાલુ, કનકાવતી સંબંધ, કનકાવતી આખ્યાન રચી માઈ, સૂઅણું સરસ સંબંધ. ૩૬૭ જેટલી કડીમાં રચાયેલી આખ્યાન નામની આ રાસકૃતિમાં કવયિત્રીએ સરસ્વતી દેવી અને જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી હનકાવતીના વૃત્તાન્તનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ હજુ અપ્રસિદ્ધ છે. રાજપુત્રી કનકાવતીને માથે બાલ્યકાળથી જ કેવાં કેવાં સંકટ આવી પડે છે, એક રાજપુત્ર અજિતસેનને એને કેવી રીતે મેળાપ થાય છે, બંને કેવી રીતે વિખૂટાં પડે છે અને ફરી પાછાં મળે છે, અને અનેક વર્ષ રાજ ભેગવી દીક્ષા લે છે એ કથાનું અદ્ભુતરસિક આલેખન આ રાસમાં કરવામાં આવ્યું છે. માલિકે ઈ.સ. ના સેળમા સૈકાના અંતમાં માલદેવ નામના સમર્થ કવિ થઈ ગયા. વડગછના પુણ્યપ્રભસૂરિના શિષ્ય ભાવ દેવસૂરિના એ શિષ્ય હતા. કવિ ઋષભદાસે પોતાના પુરોગામી વિદ્વાન કવિઓના કરેલા નામોલ્લેખમાં માલદેવને પણ નિર્દેશ છે. માલદેવે રાસ, ફાગુ, પ્રબંધ ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. માલદેવ અને એમના ગુરને વિહાર સિંધ, પંજાબ અને રાજસ્થાનમાં વિશેષ રહેલે જણાય છે. માલદેવની કૃતિઓમાં અત્યારે ઉપલબ્ધ છેઃ (૧) પુરંદરકુમાર પાઈ, (૨) ભોજપ્રબંધ, (૩) વિક્રમચરિત્ર પંચદંડકથા, (૪) દેવદત ચોપાઈ, (૫) અગ્નિરથ પાઈ, (૬) સુરસુંદરી ચોપાઈ, (૭) વીરાંગદ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy