SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૧૩ અનુસરી, એવું ચિત્ર આપ્યું છે. પ્રેમાનન્દે તેમાં વધારે ર ંગા પૂરી, તેને તાદશ અને સચોટ બનાવ્યું છે : તેને દેખી નળ મન હરખ્યા, મેાણે મેણે પરવિરયા; નીલાંબર ઓઢીને અંગ સર્કાડયું, શ્વાસ રોધન કરિયા. (૬-૧૯.) ક્રમ થડ પૂછે નળ ભડ આવ્યા, ખેસીને આધા ચાલ્યા ; લાંખા કર કરી લઘુલાઘવીમાં, પંખીના પગ ઝાલ્યો, (૬-૨૦) નળ હુંસને પકડે છે, અને હંસ નળ તરફથી દમયંતી પાસે જઈ નળનુ દૂતકા કરે છે, અને પાછા આવે છે –એ ઘટનાનું નિરૂપણુ, પ્રેમાનă વિસ્તારથી સાતમા કડવાથી તે પંદરમા કડવા સુધીમાં કર્યું છે. જે પ્રસંગ મહાભારતકારે માત્ર ચોઢેક શ્લોકમાં રજૂ કર્યા છે અને જેનુ નિરૂપણું ભાલણે બેએક કડવામાં કર્યું" છે તે પ્રસંગને, નૈષધીય ચરિત' કારની જેમ, પ્રેમાનંદ વિકસાવી, રસિક બનાવી, નવ જેટલાં કડવાંમાં આલેખે છે. નળ હુંસને પકડે છે એ પ્રસંગે ‘હંસના વિલાપ ’ ’માટે, કવિએ એક આખું કડવુ" યેાજ્યું છે. એ સમયે હંસણીએ નળને ‘ તાહરી નાર એમ કરજો વિલાપ | ' એવા આપેલા શાપની કલ્પના પ્રેમાનંદની મૌલિક છે; અને તેમાં ભવિષ્યમાં બનનાર ઘટનાનુ` અગાઉથી સૂચન કરી દેવાની વૃત્તિ પ્રગટ થાય છે. પાતાને છેડવા માટે હુંસ આજીજી કરે છે અને પોતાની ‘ માતા કાઈ રાઈ મરશે' એમ જણાવી તે આગળ કહે છે વહાલી સ્ત્રીએ પુત્ર પ્રસન્યેા છે, મેં તેહનુ' મુખ નથી જોયું; અરે નળરાજા, તે હું રાંકનુ સુતનું સુખ કાં ખાયું ? (૮–૧૦) હંસે અહીં રજૂ કરેલાં કારણેા મહાભારતમાં નથી તેમ પ્રેમાનંદની મૌલિક કલ્પનાનાં પણુ એ નથી. નૈષધીયચત'માં એ છે. એ પરથી ભાલણે તે આપ્યાં છે. પણ સ્ત્રીએ પુત્ર પ્રસન્યાની વાત ભાલણે મૂકી નથી. પ્રેમાન`દે સીધી નૈષધીયચરિત'માંથી એ લીધી હશે ? હાઈ શકે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy