SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુંદર / ૧૬૯ પિતાના વિદ્યાગુરુ તરીકે ‘ભાવશતક અને અષ્ટલક્ષી' નામની પોતાની -કૃતિઓમાં ઓળખાવે છે. જુઓઃ श्री महिमराजवाचक-वाचकवर-समयराजपुष्यानाम् । मद्विद्येक गुरूणां प्रसादता सूत्रशतकमिदम् ॥ (भावशतक) श्रीजिनसिंहमुनीश्वर-वाचकवर-समयराज-गणिराजाम् । मदविद्यैकगुरूणामनुग्रहो मेऽत्र विज्ञेयः ॥ (अष्टलक्षी) ‘ભાવશતક', “અષ્ટલક્ષી” અને એવા બીજા વિદ્વત્તાભર્યા ગ્રંથ જોતાં લાગે છે કે કવિએ વાચક મહિમરાજ અને સમયરાજ ઉપાધ્યાય પાસે બેસીને કાવ્ય, ટીકાઓ અને ધર્મશાસ્ત્રોને ઘણે ઊંડો અભ્યાસ કર્યો હશે, કવિનાં ઉચ્ચ અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા અને તપસ્વી તથા સંયમી સાધુજીવન જઈને આચાર્યશ્રી જિનચંદ્રસૂરિએ તેમને સં. ૧૬૪ના મહા સુદ પાંચમને દિવસે ગણિીનું પદ આપ્યું હતું. ત્યાર પછી સમ્રાટ અકબરના નિમંત્રણને માન આપી જ્યારે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ સં. ૧૬૪૮માં લાહેર ગયા ત્યારે તેમની સાથે ગયેલ બીજા ૩૧ સાધુઓમાં સકલચંદ્રગણિ, મહિમરાજ, સમયસુંદર વગેરે પણ હતા. તે સમયે સમયસુંદરે “રાનાને તે સૌથ' આઠ અક્ષરના આ વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવી, પોતાની અષ્ટલક્ષી' નામની કૃતિ વડે અકબર બાદશાહને પ્રસન્ન કર્યા હતા. સં.૧૬૪૯માં ફાગણ સુદ બીજને દિવસે શ્રી જિનચંદ્રસૂરિએ સમયસુંદરને લાહેરમાં વાચનાચાર્યનું પદ આપ્યું હતું. એ જ વખતે આચાર્યશ્રીએ વાચક મહિમરાજને આચાર્યની પદવી આપી શ્રી જિનહર્ષ સૂરિ એવું નામ આપ્યું હતું.) એટલે જ આ સમય પછી લખાયેલી સાંબપ્રઘુનરાસ”, “ચાર પ્રત્યેક બુદ્ધને રાસ', “મૃગાવતીચરિત્ર વગેરે કૃતિઓમાં સમયસુંદર પિતાને વાચક સમયસુંદર' તરીકે ઓળખાવે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy