SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ | પડિલેહ ધારણ કરતે અને તે વિવાદ વિતંડાવાદ, શુષ્કવાદ તરીકે ઓળખાતું. નારદભકિતસૂત્ર માં એટલા માટે કહ્યું છે કે વો નાવસ્થા “સ્થાનાંગસૂત્ર” માં બતાવ્યું છે કે વાદસભાઓમાં જે વાદ થાય છે તેમાં કેટલીકવાર વાદીઓ અધ્યક્ષની ભક્તિ કરીને, અધ્યક્ષને પક્ષપાતી બનાવીને જીતી જાય છે, તો કેટલીકવાર અધ્યક્ષ અથવા પ્રતિવાદીને પિતાના શારીરિક બળ વડે ડરાવીને જીતી જાય છે. નબળા મનના માણસોને વાદીઓ પોતાના મત માટે કેવી રીતે સમજાવી જાય છે તેના ઉદાહરણ તરીકે એક પ્રસંગ ટાંકવામાં આવ્યો છે કે એક ગામમાં કેટલાક ધાર્મિક માણસે પ્રાર્થના કરતા હતા. ત્યાં કોઈ વેદાન્તીએ. આવીને કહ્યું “sé sÉને જાપ કરો. એટલે તેઓ બિચારા તે પ્રમાણે જપ કરવા લાગ્યા. થોડી વારે ભક્તિ સંપ્રદાયના હિમાયતીએ આવીને કહ્યું “રાગ રાગદં'ને જપ કરે એટલે તેઓ તેમ કરવા લાગ્યા. થોડી વારે પાછો વેદાન્તી આવ્યો. તેણે “સાડાં સાસણs૬ ને જપ કરવા સમજાવ્યું એટલે તેઓ તેમ કરવા લાગ્યા. ત્યાં પાછો ભક્ત વિદ્વાન આવ્યો. એણે સમજાવ્યું રાસરાસાદું વાસા =હું'ને જપ કરો. આમ ભક્ત અને વેદાન્તી પિતાપિતાને વાદમાં ગામના સાધારણ ધાર્મિક માણસને યુક્તિપૂર્વક ખેંચવાને પ્રયત્ન કરવા લાગ્યા હતા. વાદ કરવા માટે સમકક્ષ વ્યકિત જ ગ્ય ગણતી. ઋવેદમાં કહ્યું છે કે ઘડાની સ્પર્ધા ઘેડા સાથે જ કરાવવી જોઈએ, ગધેડાં સાથે નહિ. (નાગવાનિના વાનિનાં હાસત્તિ, ન મા પુ શ્વાન્તિ ) તેવી રીતે વ્યવહારમાં પણ સમાન વ્યક્તિઓ વચ્ચે જ વાદ-વિવાદ શેભે. નિશીથભાષ્યમાં કહ્યું છે કે “૩૪ વિવET ઋતમુહિં !” કૃતમુખ એટલે કે સમર્થ વિદ્વાને સાથે વિવાદ ન કરવો જોઈએ. પિતાનું કે અન્યનું ગૌરવ સાચવવા માટે, વિવેક અને ઔચિત્ય જળવાય એ માટે, વિસંવાદ કે સંઘર્ષ ન જન્મે એ માટે, કેઈને અન્યાય ન થાય કે નીચાજોણું ન થાય એ માટે કેટલીક વ્યક્તિઓ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy