SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિભુવનદીપકપ્રમ’ધ / ૧૫૯ કવિ દલપતરામકૃત ‘ હુન્નરખાનની ચડાઈ' વગેરે કૃતિઓ રૂપકગ્રંથી તરીકે સુપરિચિત છે. આ ઉપરાંત જેમાં તન, મન, આત્મા ઇત્યાદિને માટે રૂપક યેાજવામાં આવ્યાં હેાય એવા નાનાં નાનાં રૂપકકાવ્યા તે ગુજરાતીમાં સંખ્યાબંધ લખાયાં છે. રૂપકગ્રંથી અ ંગ્રેજી એલેગરીને મળતા પ્રકાર છે, એમાં માણસનાં ગુણુ, અવગુણુ, સ્વભાવ, વિચારા, પ્રવ્રુત્તિ ઇત્યાદિને હરતીફરતી જીવંત વ્યક્તિ તરીકે કલ્પવામાં આવે છે અને એના સ્વાભાવિક વન પ્રમાણે એની વાર્તા ગૂંથવામાં આવે છે. આમાં રૂપકકારે મહુત્ત્વની વસ્તુ ખ્યાલમાં રાખવાની હાય છે તે એ છે કે દરેક પાત્રનું વન એની સ્વાભાવિક ખાસિયત પ્રમાણે જ બતાવવામાં આવ્યું હાય. એટલે કે ઔચિત્યપૂર્ણ આલેખન એ જ એની મેટામાં મેટી ખૂબી, મોટામાં મેાટી સિદ્ધિ અને મેટામાં માટી કસેાટી હાય છે. જે રૂપક ઔચિત્યપૂર્ણ આલેખન ધરાવતું નથી હાતું તે વાંચવામાં વાચકને રસ પડતા નથી હેાતા, રૂપકગ્રંથીમાં જેમ વધારે પાત્રા અને જેમ એની કથા વધારે લખાતી જાય તેમ તેના કવિની કસેાટી વધારે. એટલે જ દી સાતત્યવાળી રૂપકગ્રંથીઓનુ` સર્જન કરવું એ એક કપરુ` કા` મનાય છે. સામાન્ય વ્યવહારમાં · સંસારસાગર ’, માનવ મહેરામણુ’, જીવનનાવ', ‘ કાલગંગા ' ઇત્યાદિ શબ્દરૂપા આપણે પ્રયાજીએ છીએ. પરંતુ એક આખી રૂપકગ્રંથીની વાર્તાસૃષ્ટિ ધ્રુવી હૈાય છે તે - ત્રિભુવનદીપકપ્રબંધ 'ની કથા પરથી વધારે સ્પષ્ટ રીતે સમજાશે. એ કથા આ પ્રમાણે છે : ( પરમહંસ નામના એક અત્યંત તેજસ્વી રાજા ત્રિભુવનમાં રાજ્ય કરે છે. એની રાણીનું નામ ચેતના છે. રાજા અને રાણી બન્ને આન પ્રમાદમાં પેાતાના સમય પસાર કરે છે. કવિ લખે છે :
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy