SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ | પડિલેહ કરી છે. એટલે જ બૂરવાની વિશે એ લઘુકૃતિ પરથી આ મેટી કૃતિ રચવા તરફ તેઓ પ્રેરાયા હોય એમ લાગે છે. લઘુકૃતિ ફાગ અને દૂહાની ૨૯ કડીમાં લખાયેલી છે. એમાં જબૂસ્વામીના ચરિત્રની મુખ્ય મુખ્ય ઘટનાઓને માત્ર નિર્દેશ જ છે અને મદન ઉપર તેઓ કે વિજય મેળવે છે તેનું નિરૂપણ છે. રચનાની દૃષ્ટિએ એમાં બ્રહ્મગીતા અને રાસ બંને ભિન્નભિન્ન છે, એટલે કલ્પના, અલંકાર, તર્ક કે ભાષાની દૃએિ એમાં સામ્ય ન હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં બ્રહ્મગીતાની નીચેની પંક્તિઓ જેવી પંક્તિઓ રાસમાં પણ આપણને અન્ય સંદર્ભમાં જોવા મળે છે? આઠ તે કામિની ઓરડી, ગોરડી ચેરડી ચિત્ત; મોરડી પરેિ મદિ માચતી, નાચતી રાચતી ગીત. આની સાથે સરખા જંબુસ્વામી રાસના ચોથા અધિકારની ૧૩પમી કડી: મદન ગુણ ઊરડી ગારડી, ચેરડી તરૂણ મન તેહ રે; કામી પાબંધન દેરડી, લવણિમાલિંગિત દેહ રે. શ્રી યશોવિજયજી મહારાજે આ “જબૂસ્વામી રાસની રચના માટે શ્રી હેમચંદ્રાચાર્યક્ત “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પરિશિષ્ટ પર્વમાં આપેલા જબૂસ્વામીના ચરિત્રનો મુખ્યત્વે આધાર લીધે છે. શ્રી જબૂસ્વામીના ચરિત્ર વિશે સંસ્કૃતપ્રાકૃતમાં રચનાઓ થયેલી છે અને તેમાં શ્રી હેમચંદ્રાચાર્યની રચના વધુ વિસ્તૃત અને સમર્થ છે, એટલે તેને આધાર આ રાસની રચના માટે લેવાય એ સ્વાભાવિક છે. શ્રી અંબૂસ્વામીનું ચરિત્ર પ્રાચીન ગ્રંથમાં આપણને ઈ.સ.ના છઠ્ઠા સૈકાના “વસુદેવહિંડી (સંયદાસણિત)માં જોવા મળે છે. તેમાં જંબુસ્વામીનું ચરિત્ર વિઝિશહાપુરુષત્રિની સરખામણીમાં ઘણું જ ટૂંકમાં આપવામાં આવ્યું છે. વસ્તુતઃ વસુદેવની કથાને આરંભ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy