SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ | પડિલેહા વાદ એટલે જ્ઞાનવિજ્ઞાનની કોઈપણ શાખાના કોઈપણ વિષયમાં તક, અનુમાન કે તારણના આધારે બાંધેલી માન્યતાનું અથવા સિદ્ધાન્તનું પ્રતિપાદન. જગતના કેટલાક સનાતન પ્રશ્નોનું જ્યાં સુધી સંપૂર્ણ નિરાકરણ ન થાય ત્યાં સુધી તે અંગે શોધ કરવાના અનેક પ્રયત્ન થયા જ કરવાના. જીવ ક્યાંથી આવે છે? શા માટે આવે છે? શા માટે મૃત્યુ પામે છે? મૃત્યુ પછી એનું શું થાય છે? જીવ અને આત્મા એક છે કે ભિન્ન ? શરીરને ચલાવનાર કોણ છે? ઈન્દ્રિય કાના ઉપર આધાર રાખે છે? સૃષ્ટિમાં આત્મા એક છે કે અનેક? આત્માનું કદ શરીર જેટલું કે નાનું મોટું? આત્માનું શરીરમાં સ્થાન ક્યાં? આ વિશ્વ શાનું બનેલું છે અને શાના આધારે ટકી રહ્યું છે? પાપ શું ? પુણ્ય શું ? સુખ શા માટે ? દુઃખ શા માટે? પુનર્જન્મ છે કે નહિ? સારાનરસાં કર્મોનું ફળ છે કે નહિ? શું મળે તે સમગ્ર સંસારનું જ્ઞાન થઈ જાય? એવું શું પ્રાપ્ત થાય કે જેથી જીવન પાપરહિત, જારહિત, મૃત્યુરહિત, શંકરહિત, સુધારહિત, સત્યકામ અને સત્યસંકલ્પ બની જાય? એવું શું છે કે જે જાણવાથી બધું જ જાણવા મળે, જે જાણવાથી સર્વ લેક અને સર્વ કામો પ્રાપ્ત થાય? આમ, બાહ્ય જગત અને મનની અંદર રહેલા સૂક્ષ્મતમ, ગૂઢતમ જગત વિશેના અનેક પ્રશ્નોનું નિરાકરણ એમ સરળતાથી થતું નથી. પરિણામે પિતાનાં અનુભવ, બુદ્ધિ અને તર્કને આધારે, માણસને જે મર્યાદિત જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે પ્રમાણે તેને ઉત્તર શોધવા પ્રયત્ન કરે, અને પોતાની વાત જ સાચી છે એમ શ્રદ્ધાપૂર્વક માની તેનું જ પ્રતિપાદન કરે ત્યારે તેમાંથી વાદને જન્મ થાય. જેમ ધર્મ અને તત્વજ્ઞાનની બાબતમાં, તેમ બીજા અનેક વિષયોમાં સમયે સમયે નવા નવા વાદને જન્મ થયું છે અને થયા પણ કરશે. સત્યનું સંપૂર્ણ દર્શન સાધારણ રીતે થતું નથી. અને સત્યના આશિક દશર્નને પૂર્ણ દર્શન માની લેવાની ઉતાવળ સહજ રીતે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy