SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ / પડિલેહા મહેાપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા × માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણેા મળે છે અને એથી એમના જન્મસમય વિશે હજુ છેવટને સમાન્ય નિશ્ચિત નિર્ણય થઈ શકયો નથી. આ એ પ્રમાણો તે ( ૧ ) વિ.સ’. ૧૯૬૩ માં વસ્ત્ર પર આલેખાયેલા મેરુ પર્વતને ચિત્રપટ, અને (૨) ઉપા૦ શ્રી યશેાવિજયજીના સમકાલીન મુનિ શ્રી કાંતિવિજયજીકૃત ‘સુજસવેલી ભાસ'. આ બંનેમાં અલબત્ત, એમના જન્મ-સમય વિશે કશે ચાક્કસ નિર્દેશ નથી, પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મ-સમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય છે. વિ. સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીએ તે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું... હતું. આ ચિત્રપટ આજ દિન સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્ટિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નયવિજયજીએ આચાર્ય શ્રી વિયસેનસૂરિના સમયમાં કણસાગર નામના ગામડામાં રહીને સં. ૧૬૬૩માં પેાતાના શિષ્ય શ્રી જસવિજયજી માટે આ પટ આલેખવાના પ્રયાસ કર્યા છે. પુપિકા પ્રમાણે શ્રી નયવિજયજી તે સમયે ગણુ અને પન્યાસનું પદ ધરાવતા હતા. તે શ્રી કલ્યાણુવિજયજીના શિષ્ય હતા અને જેમને માટે આ પટ બનાવવામાં આવ્યા તે શ્રી જસવિજયજી પણુ · ગણુિ' નું પદ ધરાવતા હતા. હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તેા સ ૧૬૬૩માં શ્રી યશેાવિજયજી fળ હતા. સામાન્ય રીતે દીક્ષા પછી આછામાં ઓછાં દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (ક્રાઈ : × એ વિશે જુએ શ્રી યશોવિજયજી સ્મૃતિગ્રંથ'માં મુનિશ્રી પુણ્યવિજયજીના આમુખ તથા વિદ્યમાન મુનિ શ્રી ચાવિજયકૃત લેખ, ઐતિહાસિક ચિત્રપટનો પરિચય અને મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીની સાલમીમાંસા’( જૈનયુમ, જાન્યુઆરી, ૧૯૫૯ ).
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy