SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધમ વિધાન ગાથાર્થ:શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને સમ્યક્ત્વની આદિવાળા અને ભાવાથ સહિત એવા શ્રાવક ધર્મ અથવા સમ્યક્ત્વાદિ ભાવાવાળા શ્રાવક ધમ અથવા સમ્યક્ત્વાદિ ભાવેાના વિષયવાળા અથવા ભાવા યુક્ત સમ્યક્ત્વાદિ શ્રાવક ધમને સક્ષેપથી અને સૂત્રની નીતિ વડે ( સૂત્રને અનુસારે) કહીશ. ॥૧॥ માવાથ—પરમ પ્રભાવક ચૌદસે ચુમ્માલીસ ગ્રન્થના કર્તા મહાન બુદ્ધિવૈભવવાળા સર્વ શાસ્રના પારંગત શ્રીહરિભદ્રસૂરિ ભગવાન શ્રાવકધમનું સ્વરૂપ કહેવાના પ્રારંભમાં પ્રથમ મંગલાચરણ તરીકે શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરે છે. સર્વશિષ્ટ પુરૂષોની એ પરંપરાગત પ્રણાલિકા છે કે કોઈ પણ ગ્રન્થના પ્રારંભમાં અથવા માંગલિક કાર્યના પ્રારંભમાં ઇષ્ટદેવને નમસ્કાર કરવારૂપ મંગલાચરણુ કરવુ જોઈએ. તે પ્રમાણે આ આચાયે પણ મંગલાચરણ કરીને આ ગ્રન્થમાં કચેા વિષય કહેવાના છે તેની સૂચના તરીકે સાથધમં= શ્રાવકધમ કહીશ એમ જણાવ્યું. પુનઃ એ શ્રાવકધમ સમ્યક્ત્વની આદિવાળા છે. અર્થાત્ શ્રાવકધમ માં પહેલું સમ્યક્ત્વ ને ત્યાર બાદ શ્રાવકનાં વ્રત હોય છે. પ્રશ્ન:—શ્રાવકધમ માં સમ્યક્ત્વ પહેલું શા કારણથી ? ઉત્તરઃ—સવ ધમ માં સમ્યક્ત્વ (સર્વજ્ઞ શ્રદ્ધા આગમ શ્રદ્ધા વા તત્ત્વાર્થે શ્રદ્ધા) પ્રથમ છે. કારણ કે યમ નિયમરૂપ ધર્માં મતિકલ્પિત નથી પરન્તુ કાઈ મહાપુરૂષના દર્શાવેલા છે, તે મહાપુરૂષ પર જો વિશ્વાસ જ ન હેાય તે તેના
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy