SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ શ્રાવકધર્મવિધાન મિથ્યાત્વને ત્યાગ અથવા સમ્યકત્વનું ગ્રહણ મન વચન કાયાથી મિથ્યાત્વ કરું નહિ કરાવું નહિ ને કરવાને અનુમેહું નહિ એમ ૯ પ્રકારે થાય છે તે આ પ્રમાણે - ૧ મિથ્યાત્વનું આચરણ મનથી ચિતવું નહિ. ૨ મનથી ચિંતવાવું નહિ. (હું એવી પ્રવૃત્તિ ન કરે કે જેથી મારા નિમિતે બીજા જ મિથ્યાત્વ આચરવાને વિચાર કરે– એ ફળિતાથૈ.) મિથ્યા આચરણ કેઈ બીજે પુરુષ મનથી ચિંતવે તે હું તેમાં અનુમત ન થાઉં. ૪ મિથ્યાત્વ વચન ઉચ્ચકું નહિ. ૫ મિથ્યાત્વ વચન ઉચ્ચરાવું નહિ. બીજાને બોલવાનું વા મિથ્યાત્વ ક્રિયાઓ કરવાનું કહું નહિં). ૬ મિથ્યાત્વનાં વચનો બીજે કઈ બોલતો હેય તે તે સારું છે એમ જાણું નહિ. ૭ મિથ્યાત્વ ક્રિયાઓ કરૂં નહિ. ૮ મિથ્યાત્વ ક્રિયાઓ બીજા પાસે કરાવું નહિ. ૯ મિથ્યાત્વ કિયાઓ બીજે કઈ કરતે હોય તે તે પ્રવૃત્તિને સારી જાણું નહિ. દેશવિરતિ સંબંધિ શ્રાવક્તા બતે અનુમતિ સિવાય ગ્રહણ કરાય છે તે આ પ્રમાણે– ૧ ત્રસની હિંસા ૧ મનથી કરૂં નહિ, ૨ વચનથી કરૂં નહિ, ૩ કાયાથી કરૂં નહિ, ૪ મનથી કરાવું નહિ, ૫ વચનથી કરાવું નહિ, ૬ કાયાથી કરાવું નહિ. એ ૬ કેટિ.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy