SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રાવકધર્મવિધાન પૂર્વ દિશામાં નિયમિત ભૂમિ સુધી વાસણે વિગેરે લઈને વેચવા જાય, પરંતુ તે વાસણ વિગેરેનું મૂલ્ય પ્રમાણ ભૂમિથી અધિક જાય તે મળી શકે છે, તેથી પશ્ચિમ દિશામાં રાખેલી પ્રમાણ ભૂમિને પૂર્વ દિશામાં વધારીને આગળ જાય તે ક્ષેત્રવૃદ્ધિ કહેવાય. આવા પ્રકારની ક્ષેત્રવૃદ્ધિ કરવી ગ્ય નથી. (માટે પ્રમાણ ક્ષેત્રમાં વધારો કરીને આગળ જાય તે વ્રતભંગ થાય, પરંતુ નિયમધારી સમજે છે કે મેં પ્રમાણમાં વધારે કર્યો નથી, પરંતુ દિશિ વધારી છે, આ આશયથી વ્રતભંગ ન હોવાથી ભંગાભંગ રૂ૫ અતિચાર છે.] પુનઃ (વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે) સ્મૃતિ અન્તર્ધાનથી એટલે અનાગાદિક વડે સંશય પડવાથી નિયમિત ક્ષેત્રથી ઉપરાન્ત જાય તે યાદ આવતાં (વાસણાદિ વેચ્યા વિનાજ) પાછા વળી જવું, અને જે સંશય ન હોય તે આગળ જવુંજ નહિ, તેમ બીજાને પણ (વાસણાદિ વેચવા) મેકલ નહિ, અને આજ્ઞા વિના બીજે કઈ જઈને (ગુમાસ્તા વિગેરે જઈને વાસણાદિ વેચી) જે ધન લઈ આવ્યા હોય તે ગ્રહણ ન કરવું. તેમજ ભૂલથી પતે જઈને ધનાદિ લાવ્યા હોય તે તે પણ ગ્રહણ ન કરવું. [શુભ માર્ગે ખચી નાંખવું છે છાત વૃદ્ધસમ્પ્રદાયન પંચાતિચાર ભાવાર્થ છે એ રીતે આ દિશિપરિમાણ વ્રતમાં પહેલા ત્રણ અતિચાર અનાગાદિથી છે. ને બીજા બે અતિચાર વતની સાપેક્ષ નિરપેક્ષતાને આધારે ભંગાભંગ રૂપ છે. તથા
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy