SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 174 જૈન ધર્મ સાર સંદેશ જીવ એક દિવસની સુધા નામના રોગથી મુક્ત થઈ શકે છે, ઔષધદાન આપવાથી પાત્ર જીવ મહિના બે મહિના વર્ષ વગેરે સુધી રોગથી મુક્ત થઈ શકે છે, અભયદાન આપવાથી પાત્ર જીવ એક આયુ સુધી ભયથી મુક્ત થઈ શકે છે અને જ્ઞાન-દાન આપવાથી જીવ અનંત ભવના જન્મ-મરણ નાશ કરીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી શકે છે.19 સંત સદ્ગુરુથી પ્રાપ્ત જ્ઞાનરૂપી પ્રસાદ દ્વારા સાધક કેવી રીતે પોતાની સાધનામાં આવનારા વિદનો અને સાંસારિક પ્રલોભનો પર વિજય પ્રાપ્ત કરવામાં સફળ થાય છે, એને જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલામાં એક ખૂબ જ સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. સંસારનાં પ્રલોભનો, ભ્રમપૂર્ણ વિચાર અને રાગદ્વેષ વગેરે સર્પ સમાન છે અને દ્રઢતાપૂર્વક પોતાની સાધનામાં લાગેલો પુરુષાર્થ જીવ નોળિયા સમાન છે જેને સંત સદ્ગક્ની દીક્ષારૂપી જડી-બુટ્ટી પ્રાપ્ત છે. આ જડી-બુટ્ટીના પ્રભાવથી તે સંસારરૂપી સર્પના વિષરૂપ વિદનને દૂર કરીને પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં સફળ થઈ જાય છે, જેવું કે જેના સિદ્ધાંત પ્રવેશ રત્નમાલામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ સાપ અને નોળિયો એક બીજાના દુશ્મન હોય છે. જ્યારે નોળિયો સાપની સાથે લડાઈ કરે છે તો જંગલમાં એક નોલબેલ નામની જડીબુટ્ટી હોય છે તેની જ પાસે રહીને નોળિયો સાપની સાથે લડાઈ કરે છે, કારણ કે જો લડાઈમાં સાપ કરડી લે, તો તે નોબેલ બુટ્ટીને સૂધી લેવાથી તેનું વિષ દૂર થઈ જાય છે, તો હર હાલતમાં નોળિયો સાપને મારી નાખે છે; તેવી જ રીતે આ આખો સંસાર સર્પ-રૂપ છે અને પુરુષાર્થ કરનારો જીવ નોળિયા સમાન છે. સર્પરૂપ સંસાર છે, નોળિયા-રૂપ નર જાણ. સંત બુટ્ટી સંયોગથી, થાય સર્પ -વિષની હાન. આ સંસાર સર્પરૂપ છે અને નોળિયારૂપીય પુરુષાર્થ કરનારો જીવ છે; જ્યારે આ જીવ સંસારના વિષય ભોગોની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy