SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જળપૂજાને દૂહે : જળપૂજા જુગતે કરે, મેલ અનાદિ વિનાશ જળપૂજા ફળ મુજ હેજે, માંગે એમ પ્રભુ પાસ. ભાવના ? મનમાં આ પ્રકારની ભાવના ભાવવી જોઈએ. “હે પ્રભો ! આપને સનાન કરાવવાથી મારે કર્મરૂપી મલા દૂર થાઓ. (2) બીજી ચંદન (કેસર બરાસ) પૂજા ? ૭ પ્રક્ષાલ કર્યા પછી પ્રભુજીની મૂર્તિને મુલાયમ મલમલના ત્રણ અંગલુંછણ કરવા અને આજુબાજુનું પાણી સાફ કરવા જાડા પાટલુંછણને ઉપયોગ કરો. ત્યાર બાદ ચંદન પૂજા નવ અંગે કરવી. ચંદન પૂજાને દુહે : શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ભગવાન ? હે પ્રભે : ચંદન વડે આપની પૂજા કરીને હું પણ એજ ચાહું છું કે “જેવી રીતે ચંદન શીતલ છે તેવી જ રીતે મારૂં ચિત્ત કામધાદિ તાપથી દૂર થઈ શાન્ત-શીતલ થઈ જાવ.” નવ અંગે પૂજાનાં દુહા પ્રત્યેક અંગે પૂજા કરતી વખતે મનમાં નીચેના એકેક દુહા અગર એની ભાવના ચિંતવવી. કારણ પૂજા વખતે બોલવાને નિષેધ છે.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy