SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હઠવું. પાપનું પ્રાયશ્ચિત કરવું. શ્રાવકે સવાર-સાંજ બે ટાઈમ અવશ્ય પ્રતિક્રમણ કરવું જ જોઈએ. જાપ એ ઐચ્છિક કર્તવ્ય છે. પ્રતિક્રમણ એ આવશ્યક કર્તવ્ય છે. અવશ્ય કરવા ચેાગ્ય કાને આવશ્યક કહેવાય છે. આવશ્યકને છોડીને ઐચ્છિક કન્ય કરનાર છતી શક્તિએ ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરનાર અને છે. જે ગોડાઉનમાં માલની એલી આયાત જઢાય પણ નિકાસ ન હૈાય એ ગાડાઉન સંગ્રહથી ને સડાથી થાડા જ વખતમાં ગોંધાઈ ઉઠે ને જીવાતેાથી ખટ્ઠખઠ્ઠી ઉઠયા વિના રહે નહિ. શ્રાવક પણ સંસારમાં ખેડે છે ત્યાં સુધી એના જીવનમાં પાપાની સતત આયાત ચાલુ જ છે. પ્રતિક્રમણુ દ્વારા દરરાજ એની નિકાસ ન થાય તા શ્રાવકનુ જીવન પાપાની અમૃથી ગોંધાઈ ઉઠ્યા વિના રહે નહિ. પ્રતિક્રમણ ઉપાશ્રયમાં જઈને અથવા ઘરમાં એકાન્ત સ્થાનમાં પૌષધશાળા તરીકે જુદી કાઢેલ રૂમમાં બેસીને કરે. પ્રતિક્રમણ ન જ આવડતુ હાય અથવા એવુ જ કઈ કારણ હાય તે! સામાયિક કરે. ખાર વ્રતધારી શ્રાવક અવશ્ય પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણમાં સામાયિકના સમાવેશ થઈ જાય છે. 24 -
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy