SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ – ઘરની આગળ નિગદ વગેરે ન થાય તેનું ધ્યાન રાખે. – નગદ કે લીલોતરી પર પગ મૂકીને ન ચાલે. – કષાયજ્યપ, ઈન્દ્રિયજય તપ, અઠ્ઠાઈ, પંદર ઉપવાસ સોલ ઉપવાસ, માસક્ષમણ આદિ વિશેષ તપ કરે. – છેવટે દરરોજ નવકારશી, ચોવિહાર તે અવશ્ય કરે જ. – શક્ય હોય તે ચોમાસામાં ચાર મહિના ઉપાશ્રયમાં જ સંથારા પર સૂવે ને સવાર-સાંજ પ્રતિક્રમણ કરે. – અતિથિ વિભાગ વ્રત કરે. – રાયણ–આંબા વગેરે ફળોને ત્યાગ કરે. ભાજીપાલ -પાન વગેરે ખાવાને ત્યાગ કરે. – ચોમાસામાં દરરોજ ઓછામાં ઓછાં એક સાધર્મિકને જમાડે. – ઘર-મંદિર કે પૌષધશાળામાં જે કંઈ સમારકામ કરાવવું હોય તે ચોમાસુ બેસતાં પહેલાં કરાવી લે. – ટૂંકમાં ચાતુર્માસના ચાર મહિનામાં બને તેટલી વધુ આરાધના અને બને તેટલી ઓછી હિંસા થાય એ માટે અવશ્ય લક્ષ્ય આપે. – ચાતુર્માસમાં બને તેટલા વધુ નિયમે ગ્રહણ કરી શ્રાવકે એનું પાલન કરવું જોઈએ ને જીવનને એ દ્વારા ધર્મમય બનાવી જલ્દી સંયમધર્મ પ્રાપ્ત થાય ને પૂર્ણ અહિંસાનું પાલન થાય એ માટે શ્રાવકે પ્રયત્નશીલ બનવું જોઈએ. ચાતુર્માસિક કર્તવ્ય અહિં પૂરા થાય છે.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy