SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ – ૧ अक्षरं ब्रह्म परंम स्वभावोऽध्यात्म मुच्यते । મૂતમારોવવીરો વિસ: વ્યર્થસિતઃ II (ગીતા, ૮-૩) અક્ષર વિરાટમાં અસિત ભાંતિ પ્રિયવરૂપથી બિરાજમાન સર્વવ્યાપી કૂટસ્થ અક્ષર બ્રહ્મ જ વ્યષ્ટિ અને સમષ્ટિનો સ્વકીય સ્વભાવ છે. જેને અધ્યાત્મ કહે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? આ પ્રશ્ન અંતમૂર્ખતા તરફ ઝૂકવું તે અધ્યાત્મવાદ છે. અધ્યાત્મના સાત સોપાન – સદ્દગુરુ દ્વારા પ્રત્યક્ષ દર્શન પછી શ્રવણ, મનન, નિદિધ્યાસન, સાક્ષાત્કાર, સમાધિ, પરાભક્તિ અને અચલ આત્મસ્થિતિ એ અધ્યાત્મના સાત સોપાન છે. મૂ, મુવ: સ્વ:, મ, ના, તપ: ગૌર સત્ય આવા અનેક નામ છે. જૈન આગમમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે... अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुदमो । પ્પા રૂસ્તો સુદી હોર્ડ, fસ તો પરસ્થય છે (ઉત્તરાધ્યયન સૂત્ર. અ-૧, ગા-૧૫) આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરવા માટે પોતે જ પોતાનું દમન કરવું જોઈએ. દમન કરવાવાળો સવ કષાય પર વિજય પ્રાપ્ત થતા આ લોકમાં તથા પરલોકમાં સુખી થાય છે. અધ્યાત્મ સાધના માટે ચાર તત્ત્વોનું જાણવું જરૂરી છે. ૧. જેનાથી દુઃખનું સર્જન થાય છે. ૨. જે દુ:ખ હોય છે ૩. દુ:ખનો નિરોધ થાય છે. ૪. જેનાથી દુઃખનો ક્ષય થાય છે. જેનાથી દુઃખ સર્જન થાય છે તે આશ્રવ છે. જે દુઃખ છે તે કર્મ છે. જેનાથી દુઃખનો નિરોધ થાય છે તે સંવ છે. જેનાથી દુઃખનો ક્ષય થાય છે તે તપ છે. સંવરયોગ અને તપોયોગ આ બન્ને આધ્યાત્મિક વિકાસના ઉપાય છે. સંવર દ્વારા નવા પાપો આવતા અટકી જાય છે અને તપ દ્વારા જૂના કર્મોનો ક્ષય થઇ જાય છે. અરૂંદષ્ટિનો વિકાસ થવા પર મિથ્યાદૃષ્ટિથી થવા વાળા દુઃખો જમા નથી થતા. સમત્વનો વિકાસ થવા પર ઇચ્છાથી થવાવાળું દુઃખ પ્રાપ્ત થતું નથી. અપ્રમાદનો વિકાસ થવાથી ચૈતન્યની સુષુપ્તતાથી થવાવાળું દુઃખ પ્રાપ્ત નહિ થાય. વીતરાગતાનો વિકાસ થવાથી દુઃખનું મૂળ નષ્ટ થઈ જાય છે. આ અવસ્થામાં શુદ્ધ ચેતનાનો વિકાસ થાય છે. મન વિલીન થઈ જાય છે. તપથી દુઃખનો નિરોધ થાય છે અને કર્મનો ક્ષય થાય છે. તપોયોગની સાધનાનું પ્રથમ સૂત્ર છે – આહારશુદ્ધિ. વધારે આહાર કરવાથી મળ જમા થાય છે. જેના શરીરમાં મળ સંચિત થાય છે તેની નાડી શુદ્ધ નથી રહેતી અને મન પણ નિર્મળ નથી રહેતું. જ્ઞાન અને ક્રિયા બની આરાધનાનું માધ્યમ નાડી સંસ્થાન છે. મળના જમા થવાથી બન્નેમાં અવરોધ ઉત્પન્ન થાય છે. માટે સાધકે આહારની બાબતમાં
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy