SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા (૩) વાનપ્રસ્થ વાનપ્રસ્થનો અર્થ છે કઠોર નિયમોનું પાલન કરવું અને વનમાં રહેવું. પચાશ વર્ષની ઉંમર વાનપ્રસ્થ માટે માની છે. - વાનપ્રસ્થ ગૃહસ્થની જેમ ભોજનશયન નથી કરતા. ફૂલ, ફળ, કન્દમૂળ અને વનમાં મળતી વનસ્પતિનો ઉપયોગ કરે છે. । 1 । માત્ર એક વખત ભોજન કરે છે. અથવા ૨-૩ દિવસના અન્તરે ચાંદ્રાયણ વ્રત કરે છે. । 2 । અથવા પાણી અને વાયુ પર પણ રહે છે. અન્ય સાધુઓ પાસે ભિક્ષા માંગે છે અને ગામમાંથી માત્ર આઠ કવળ ભોજન માંગીને લાવે છે. વાનપ્રસ્થી દિવસના બે વખત અથવા તો ત્રણ વખત સ્નાન કરે છે. । 3 । શરીરને મૃગચર્મની છાલ અથવા કુશ (ઘાંસ)થી ઢાંકે છે. 1 4 | શરીરના વાળ તથા નખ કાપવાનો નિષેધ કર્યો છે.I5I મૌન લઈને વેદનો પાઠ કરે છે. વેદમાં શ્રદ્ધા રાખવી જોઈએ. પંચાગ્નિની વચ્ચે ઉભો રહે. વરસાદમાં બહાર ઊભો રહે, ઠંડીમાં ભીના વસ્ત્રો ધારણ કરીને ઉગ્ર તપસ્યા કરે છે. રાત્રે પૃથ્વી પર શયન છે. । 6 | પ્રકરણ જાગૃત અવસ્થામાં ચાલતા અને બેસીને યોગાભ્યાસ કરવો । 7 । જોઈએ. જે પદાર્થો સુખ આપતા હોય તેનાથી દૂર રહેવું જોઈએ. અસાધ્યરોગ થવા પર પણ પોતાને મૃત્યુ નજીક સમજીને ઉત્તર અથવા પૂર્વાભિમુખ થઈને પ્રસ્થાન કરે તેણે ત્યાં સુધી ચાલવું જોઈએ જ્યાં સુધી તે પડી ન જાય. I 8 । 1. મનુસ્મૃતિ, ૬/૫ 2. મનુસ્મૃતિ, ૧૧/૨/૬ 3. યાજ્ઞવલકય - ૩૪૮ 4. ગૌતમસ્મૃતિ - ૩/૩૪ 5. વસિષ્ઠ ૯/૧૧ - - જે કોઈ અભિમાન, ક્રોધ, ક્લેશ તથા ભયના કારણે આત્મહત્યા કરે છે તે સાંઈઠ હજાર વર્ષ સુધી નરકવાસમાં રહે છે. | 9 | 3 આત્મહત્યા કરવાવાળો સ્વર્ગલોકમાં નથી જઈ શકતો પરંતુ વ્રત, ઉપવાસ દ્વારા તે પવિત્ર સ્થળો પર મરવા વ્રતની આત્મહત્યા નથી થતી. । 10 | 6. મનુસ્મૃતિ - ૬/૨૨ 7. યાજ્ઞવલય - ૩/૫૧ 8. આપરાર્ક પૃ. ૯૪૫ 9. પારાશર સ્મૃતિ - ૪/૧૨ 10. આદિપર્વ ૧૭૯|૨૦ - ૩૨૯
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy