SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ તે બધા પાપોનું ગુરુ પાસે જે રીતે સેવ્યા હોય તે જ ભાવે બાળ ભાવે નિવેદન કરી, ગુરુએ બતાવેલ તપ વગેરે કરવું તે પ્રાયશ્ચિત તપ છે. પોતાનો દોષ હોય ત્યાં પોતાના માથે લેવો, કોઈના ઉપર દોષારોપણનો પ્રયત્ન ન કરવો તે અત્યંત જરૂરી છે. જે પાપ જે રીતે અને જે ભાવે સેવાયું તે તે રીતે અને તે ભાવે ગુરુને નિવેદિત કરવું તે ‘આલોચના’ છે અને તે પાપનાં દંડ તરીકે ગુરુ જે પણ તપ વગેરે દર્શાવે તે તે રીતે કરવું તે “પ્રાયશ્ચિત” નામનો તપ છે. પ્રાયશ્ચિત કરવાની ભાવનાવાળા માટે આલોચના શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુ ભગવન્ત પાસે જવા પગલું ઉપાડે અને રસ્તામાં આયુષ્ય પૂરું થવાથી આલોચના પ્રાયશ્ચિત કર્યા વિના જ મૃત્યુ પામી જાય તો પણ એનું આલોચનાના ભાવમાં મૃત્યુ થયું ગણાય અને તેના કારણે ભવિષ્ય ન બગડે, તે મરીને સતિમાં જાય. આલોચનાનો - પ્રાયશ્ચિતનો આવો અપૂર્વ મહિમા છે માટે મારે મારા પાપોનો ગુરુ પાસે બાળભાવે ખુલ્લા થઈને એકરાર કરી લેવો છે. મારે મારા આત્માનું શુદ્ધિકરણ કરવું છે. આવો ભાવ થવો જોઈએ. પ્રાયશ્ચિતના ભેદ : ઠાણાંગસૂત્રમાં પ્રાયશ્ચિતના ભેદ બતાવવામાં આવ્યા છે. । આખોયળાદેિ - આતોયળાર્હ - (ભગવતી સૂત્ર ૨૫/૭, ઠાણાંગ સૂત્ર - ૧૦ ઠાણે) ઞ-મિવિધિના સતોષાખાં,તોષના-ગુરુપુરુતઃ પ્રાણના માતોષના । (ભગવતી સૂત્ર ૨૫-૭ ટીકા) કોઈ દોષ જાણતા કે અજાણતા લાગ્યા હોય તો ગુરુ - ૧૫૫ જેને સમક્ષ જઈને નિષ્કપટ મનથી કહી દેવું જોઈએ. પોતાના દોષોને પ્રગટ કરવા તેનું નામ આલોચના છે. આત્મનિન્દા છે. જેનું હૃદય કોમળ હોય, પાપભીરૂ હોય, વિનમ્ર હોય તે આલોચના કરી શકે છે. (૨) પડિલ્સ માહૈિ - પ્રતિકમણાર્હ : પ્રતિક્રમણ જૈન જીવન ચર્યાનો એક અત્યન્ત મહત્વપૂર્ણ અને અતિ આવશ્યક અંગ છે. સમળેળ ય સાવળ 7 ઝવસ્તું યાં વરૂ નમ્હા । અનુયોગ દ્વારા આવશ્યક અધિકાર શ્રમણ હોય કે શ્રાવક હોય જીવનમાં અવશ્ય કરવા યોગ્ય કાર્યોમાં આની ગણના કરી જેને આવશ્યક
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy