SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ મનને સ્વચ્છ, સુવાસિત – પવિત્ર કરનારા છે. એમાંથી વારે ઘડીએ મન વિષયવાસના, કષાયના ધૂળકાદવમાં રમી પાછું મલિન થઈને આવે છે. છોકરો મેલો થઈને આવે તો મમ્મી એને થપ્પડ મારે તેમ મન પાપમાં જાય તો પહેલા ઠોકવુ પડે માટે પ્રાયશ્ચિત આદિ આવ્યંતર તપ બતાવ્યું છે. અઈમુત્તામુનિએ પાણીમાં નાવ તરાવી પરંતુ ઠપકો મળતા પ્રાયશ્ચિત રૂપી આત્યંતર તપ કર્યું ને કેવળી બની ગયા. આત્યંતર તપથી મન અને બુદ્ધિ બંન્નેને જીતવાના છે. મને સંકલ્પ-વિકલ્પ કરીને નકામાં પાપ બાંધ્યા કરે છે અને બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે. માટે આવ્યંતર તપનું સેવન હમેંશા કરતા રહેવું જોઈએ. (૧) પ્રાયશ્ચિત : પ્રાયશ્ચિતની પરિભાષા : પ્રાયશ્ચિત શબ્દમાં બે શબ્દોનો યોગ છે. પ્રય: + વિત્ત પ્રાય: પાપં વિનિર્વિષ્ઠ વિત્ત તસ્ય વિશોથનમ્ (ધર્મસંગ્રહ - ૩ અધિકાર) પ્રાયનો અર્થ છે પાપ અને ચિત્તનો અર્થ છે તે પાપની વિશુદ્ધિ કરવી એટલે કે પાપને દૂર કરી આત્માને શુદ્ધ કરવું તેનું નામ પ્રાયશ્ચિત છે. આચાર્યોના મતાનુસાર પ્રાયઃ નામ અપરાધ માટે છે. એમનું કહેવું છે કે – અપરાધો વા પ્રાયઃ વિત્ત શુદ્ધિ પ્રાયલ વિત્ત-પ્રાયશ્ચિતં-ઉપરાધ વિશુદ્ધિ I (રાજવાર્તિક ૯-૧૨-૧) અપરાધનું નામ પ્રાયઃ છે અને ચિત્તનો અર્થ શોધન જે ક્રિયાથી અપરાધની શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત છે. પ્રાકૃત ભાષામાં પ્રાયશ્ચિતને પાછિત કહેવામાં આવે છે. “પાછિત' શબ્દની વ્યુતપત્તિ કરતા આચાર્ય શ્રી કહે છે કે, પર્વ છિદ્ર નાં પછિત તિમખડું તે ! (પંચાશક સટીક વિવરણ ૧૬-૩) પાય નામ છે પાપ જે પાપનું છેદન કરે છે. અર્થાત પાપને દૂર કરે છે તેને પાછત કહેવામાં આવે છે. પાપની વિશુદ્ધિ માટે, દોષોની શુદ્ધિ માટે જે ક્રિયા કરવામાં આવે છે તેને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. ૧૫૩
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy