SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિના વીસ દોહરા ૪૭. ગાથા - ૮ જ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. આ દોહરામાં સુંદર વાત કરી છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો તેનું મુખ્ય સાધન ભક્તિ છે. આત્માને લક્ષમાં રાખી જે કંઈ સાધના કરીએ એ બધી ભક્તિ જ છે. એવું નથી કે ભક્તિના પદો ગાઈએ એ જ ભક્તિ છે. આત્માના હિતને લક્ષમાં રાખીને તમે સ્વાધ્યાય કરો એ પણ ભક્તિ જ છે. જ્ઞાનીઓના બોધનો વિચાર કરો તો એ પણ ભક્તિ જ છે. ધ્યાનની અંદર ભગવાનના દર્શન કરો કે સત્પરુષના દર્શન કરો તો એ પણ ભક્તિ જ છે. શ્રી બનારસીદાસજી કહે છે, શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. – શ્રી સમયસાર નાટક આ નવધા ભક્તિ છે. આવો ભક્તિનો રંગ હે પ્રભુ! મને ક્યારે લાગશે? આ દેહ તે હું નથી, હું માત્ર આત્મા છું એમ સમજાય તો જ્યાં પરમાં પ્રીતિ થઈ છે એ ત્યાંથી ફરીને આત્મસ્વરૂપ પ્રત્યે અથવા સપુરુષ પ્રત્યે લક્ષ થાય, બહુમાન-ભક્તિ થાય એ ભક્તિમાર્ગ છે. જેવી પ્રીતિ સંસારના પદાર્થોમાં છે એવી મોક્ષના સાધનોમાં પ્રીતિ થાય એ ભક્તિ છે. ભગવાનના અને સપુરુષોના ગુણોમાં અનુરાગ થવો એનું નામ ભક્તિ છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે. –દેવચંદ્રજી કૃત મહાવીરજિન સ્વતન મોક્ષમાર્ગશ્ય નેતા ભેત્તાર કર્મભૂભુતામ્ / જ્ઞાતારું વિશ્વ તત્ત્વનામ્ વંદે તળુણ લબ્ધયે / –શ્રી તત્ત્વાર્થસૂત્રનું મંગલાચરણ તમારા ગુણોની પ્રાપ્તિને લક્ષમાં રાખી તથા એવા ભાવ કરીને હું આપને વંદન કરું છું કે તમારા જેવા ગુણો મારામાં પણ પ્રગટે. એનું નામ ગુણાનુરાગ. સ્વામીગુણ ઓળખી સ્વામીને
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy