SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાના હોય તેમ આઠે સંપત્તિથી ભારવાળા ઊંટ બ્રાહ્મણને સુપ્રત કરી પોતે હળવા બન્યા અને ગુરુના પગરખા મેળવી ધન્ય થયા. આ શ્રદ્ધાબળ કેવું નિશ્ચિત બળવાળું છે? ઘરે પહોંચી શું કરીશું? જીવન કેમ નભશે? બાળકોને કેમ ઉછેરીશું? ગુરુ શ્રદ્ધા બળવાન છે. ફિકર ફાફાં મારે ને? બ્રાહ્મણને વિદાય કર્યો, બ્રાહ્મણની શ્રદ્ધા ફળી પગરખાં લેતા શંકા ના આવી કે પગરખાંને શું કરીશ? પગરખાથી લગ્ન થશે? અમીરખાનને શંકા ના આવી કે બધું આપી દીધું ! હવે શું કરીશું? ગુરુદેવ માથે બેઠા છે ને? ફિકર ફાકાં મારે ને? અમીરખાન તો હળવો ફૂલ થઈ. સીધા ગુરુજી પાસે પહોંચે છે, પગરખાં ધરી દે છે ! ગુરુજી કહે અરે ! પગરખાં કયાંથી લાવ્યો! બ્રાહ્મણ ને આપ્યા હતા! ગુરુજી ! આઠ ઊંટનો સઘળો ધનમાલ આદિ બ્રાહ્મણને લગ્ન માટે આપ્યો છે, અને પગરખાં લાવ્યો છું. પરદેશ છોડી અને આપની સેવામાં રહેવું છે. ગુરુ તારે હજી ગૃહસ્થદશાનો ઉદય છે. તું પોતે સત્નો સંગી છે. સંસારનો યોગ પૂરો થયે છૂટો થઈ જઈશ. અમીરખાન ત્યાંથી વિદાય થઈ પોતાને નિવાસે પહોંચ્યો ત્યાં તરત જ રાજનો સૈનિક ફરમાન લઈને આવ્યો કે તમારે કાલે રાજદરબારમાં હાજર થવાનું છે અને મંત્રીપદની જવાબદારી લેવાની છે. પુણ્ય, પાપથી ન જાગે. પુણ્ય સતુથી, શ્રદ્ધાથી જાગે. અમીરખાને સર્વસ્વ આપી દીધું હતું. જરાય ક્ષોભ ન હતો. એ તો ગુરુની કૃપા હતી. મારું શું હતું? પગરખાં દેખાતાં હતા. કયારે દેખાય? હૃદયમાં ગુરુશ્રદ્ધા પ્રબળ હોય. કામનાઓ છૂટે કયારે? ગુરુચેતના નું બળ રહે તોય મુક્તિની યાત્રા કરતો હોય. પ્રારબ્ધ પૂરું થયે સાપ કાંચળી ત્યજે તેમ સંસાર છૂટી જાય. આ હતું ગુરુચેતનાનું રહસ્ય. ભક્તની સમર્પણતા ૩૮ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy