________________
આખો રાજવંશ ખળ ભળી ઊઠયો, રાણા ભોજ પણ રૂઠ્યો. મીરાંએ કારણ આપી તેમને મનાવી લીધા, મીરાં રાણાની સેવા પતિવ્રતા સ્ત્રીની જેમ કરતી.
જેમ જેમ ભક્તિ ગીતનું શ્રવણ થતું તેમ તેમ રાણો મીરાંની પવિત્રતા નિહાળી વિચારવા લાગ્યો. આ પવિત્ર મીરાં ભોગ માટે ન હોય. સમય પસાર થતો ગયો. રાણાને મીરાંનું આકર્ષણ ભોગ બાજુ ખેચતું, પવિત્રતા ત્યાગ બાજુ ખેંચતી. રાણો ખૂબ મૂંઝાતો. ત્યાં વળી પડોશી રાજાની યુદ્ધની નોબત વાગી. અંતરમાં યુધ્ધ, બહાર યુદ્ધ. રાણો યુદ્ધના મેદાનમાં પહોંચ્યો. ત્યાં દુશ્મન રાજાને હાથે મરાયો. મીરાંને દુ:ખ તો થયું. પણ તે તો પ્રભુને શરણે હતી.
કાયા કારણ ભેખ લીધો, રાણાજી, ગિરધર વિના ઘડીયે ન ગોઠે રાણા, હરિ રસ ધોળી ધોળી પીધા. મોહને મોહન કર્યાં કારમા અતિશે રાણા, કંથ પહેરીને નેડા કીધા
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર જંગલમાં જઈને ડેરા કીધાં.
સમયનું વહેણ વહ્યું જાય છે. ભક્તિનો રંગ ઘેરો થતો જાય છે. કુટુંબીઓને એ પસંદ નથી. સાસુની આજ્ઞાની અવગણનાથી સૌ નારાજ
હતા.
રાણાના મૃત્યુ પછી તેમનો ભાઈ વિક્રમસિંહ ગાદીએ આવ્યા. પણ પેલું રાજવંશના રિવાજનું અપમાન ભૂલાયું નથી. મેવાડની રાણી મીરાં ભક્તોની ભીડમાં રહે તે સાસુ, દિયર, નણંદ કોઈને પસંદ ન હતું. તેઓનો મીરાં પ્રત્યેનો અણગમો વૃદ્ધિ પામ્યો. આ પીડાને કાયમી દૂર કરવા એકવાર ઝેરનો પ્યાલો મોકલ્યો. મીરાંને દાસીએ ચેતવી પણ મીરાં તો પ્યાલો ગટગટાવી ગઈ. આખરે રાણાએ મીરાંને ભૂતિયા મહેલમાં રાખી.
ભૂતિયા મહેલ અને રાજમહેલમાં મીરાંને કોઈ અંતર નહોતું. ભક્તિ નિરાંતે થતી છતાં કસોટી ઘણી થઈ. એકવાર મીરાં ગિરધારી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૭૦