SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છ વાગડ જેવા પ્રદેશમાં પણ આ ક્ષેત્ર વિકસતું જાય છે. હવે છાનું છપનું લેવાનો કાળ ગયો. પણ વાજતે ગાજતે આ પ્રક્રિયા વિકસતી જાય છે. જો કે મારો આ ક્ષેત્રે પરિચય ઘણે અલ્પ છે. એટલે વધુ લખી શકી નથી. પણ એવા યોગ મળે ત્યારે આનંદ થાય છે તે સૌ પ્રત્યે શીર ઝૂકે છે કે ધન્ય છે. તેમના સંયમને અને પ્રદાનને. શિક્ષિત, ધનવાન, વિદ્વાને આ ક્ષેત્રે મોટું પ્રદાન છે. શ્રી બહેન મહારાજે તો આ કાળે આશ્ચર્ય આપ્યું. સ્વયં અનેક કાર્યો આચાર્યશ્રીની હારોહાર કર્યા અને પ્રવર્તિની પદવીને પાત્ર થયા. તેમની શક્તિ અને સેવાને ધન્ય છે, નમન છે. સંસારી રીતે સુખી પણ વાસ્તવમાં દુઃખ સમજયા તેમણે ઝૂકાવ્યું કહો કોણ સુખી? અંતમાં સમગ્ર શ્રમણીઓના સંસાર ત્યાગના માર્ગને અતી નમ્રભાવે વંદન કરું છું. આ ક્ષેત્રે મારો પરિચય ઘણો અલ્પ છે. ( ૯૨. બહુ રત્ના વસુંધરા રે વીજાપુરમાં જન્મ્યા. ભણતર મુંબઈ, ઘડતર પૂ. શ્રી ભુવનભાનુસુરિજીની નિશ્રામાં, વડપણ ધોળકાગામની ભૂમિ. સગપણમૈત્રી, આત્મવત્ સર્વ ભૂતેષુ સમગ્ર વિશ્વ. યુવાનોને અનુમોદનીય આ એક જીવન ગાથા છે. ગુણાત્મક આત્મ શક્તિનો આવર્ભાવ છે. વર્ષો પહેલાની વાત છે. યૌવનકાળમાં તેઓ ઉપસ્થિત હતા. પૂજયપાદ આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં અચલગઢ આધ્યાત્મિક શિક્ષણની શિબિરમાં અચાનક રાત્રે ૧૨-૩૦ વાગે. ઝડપી વાવાઝોડું ફૂંકાયું. વરસાદ વરસવા લાગ્યો, લાઈટો બંધ થઈ ગઈ મંડપ બેસી જવા લાગ્યા. એક યુવાનને અંતઃ પ્રેરણા થઈ આ આફત આત્મશક્તિના બળ વગર કેવી રીતે શમે? અને એ યુવાને ભીષ્મ સંકલ્પ કર્યો કે આ તોફાન ૧૫/૨૦ મિનિટમાં શાંત થઈ જાય તો મારે આ જીવન બ્રહ્મચર્ય સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૬૫
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy