SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯. મદ શું છે જાણો છો ? મદ ઝરતો હાથી કાબુમાં ન રહે, વ્યાકુળ થઈ ઝૂરતો રહે છે. મનુષ્ય અજાગૃત દશામાં કેટલા મદથી પીડાય છે ? શાસ્ત્રકારોએ તેના આઠ પ્રકાર કહ્યા છે. માનવે વિચારવાનું છે કે મદ-અહંકાર, અભિમાન કરવાથી શું મળે છે ? કદાચ આ જન્મમાં તને કંઈ મળ્યું હોય તો તે ચાર દિવસની ચાંદની જેવું છે. પ્રાણ નીકળશે ત્યારે કર્મ પોટલી તે જે સ્વયં બાંધી છે તે જ તારી માલિકીની છે. તે નિરાંતે લઈ જજે. છતાં તારે ત્યજવા જેવું શું છે તે શાસ્ત્રકાર જણાવે છે. મદ જેવા દોષોને જાણજે છોડવા પ્રયત્ન કરજે. આઠમદ : દરેકનું વિરૂપ. જાતિમદ : અનંત કર્મોની પરાધીનતામાં તારે શાનો મદ-અહં કરવો છે ? તારા હાથમાં છે શું ? સરી જતી રેતી જેવું તારું જીવન છે. પછી શાને મદ કરે છે ? તને જાતિ કે મા બાપ પસંદ કરીને જન્મ મળવાનો નથી. જન્મ્યો સાવજ નગ્ન પછી મદના કેટલા વાધા પહેર્યા. જયાં જન્મ્યો ત્યાં જાતિ લાગુ પડી. ગયો કે તારું નામ નનામી થયું. જાતિ ગર્વ ભસ્મી ભૂત થયો. સમ્રાટો બાદશાહો ચક્રવર્તી બધું જ ત્યજયું. ત્યારે મુક્ત થયા. તારી પાસે શું છે ? શ્રેષ્ઠ માનવ કે સાધક બનવામાં તું સૌથી શ્રેષ્ઠ પદવી, પૂર્ણતા પામીશ. તે છે સિદ્ધ અવસ્થા. ૨. કુળમદ : ઉત્તમ કુળમાં કદાચ જન્મ્યો તો ધર્મ માર્ગેવળી જા. બાકી કુળ, બુદ્ધિ, સંપત્તિ, કીર્તિના મદ ત્યજવા જોઈએ. કુળની સંપત્તિ આદિનો મદ ત્યજી આત્મ આરાધન કરી તે વડીલો મૂકી ગયેલી ઈજ્જતની, દાનાદિની વૃદ્ધિકર. ઉત્તમકુળ મળ્યું તેનો સદ્ઉપયોગ કરીજા. ૩. રૂપમદ : તું તારા કોઈ વડીલના ૧૦, ૨૦, ૩૦, ૬૦, ૮૦, ૯૦ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૫૯ ૧.
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy