________________
હે મંત્રી ! આંગળી કપાઈ ત્યારે તમે કહ્યું કે જે થાય તે સારા માટે, અને તમને જેલમાં પૂર્યા, પણ તમારી વાત સાચી હતી. ખોડી આંગળીને લીધે હું આજે બલિ થતાં બચી ગયો.
પણ તમને જેલમાં પૂર્યા ત્યારે તમે બોલ્યા હતા કે જે થાય તે સારા માટે તેનો મર્મ શો?
મંત્રી કહે રાજાજી જો હું જેલમાં ન હોત તો તમારી સાથે હોત અને હું પૂરો સાજો સમો. મને બલિ ચઢાવત ને? પણ જેલમાં હતો તેથી બચી ગયો.
પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે તે ભોગવ્યા વગર ઈંદ્ર ચંદ્ર નાગેન્દ્ર ભાવિ તીર્થકર પણ છૂટયા નથી. માટે, પૂર્વ કર્મ ભોગવતા શોક કરવો નહિ. બંધ સમયે ચેતવાનું છે. માટે સૌના હિતમાં રાજી થવું. દુઃખ ન ગમે તો કોઈને દુઃખ આપવું નહિ. તું સુખી છો સૌને સુખ આપવા રાજી રહેજે.
શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માંય અશુભ કરે નકદિ ફળ કર્મ રહિત ન કયાંય
- શ્રીમદ્ રાજચંદ્ર જીવ કર્મને જાણે કે ન જાણે, માણે કે ન માણે પણ કર્મ ભૂલ થાપ ખાતું નથી. કર્મસત્તા વ્યવસ્થિત છે. દુઃખનો સમતાથી સ્વીકાર, સુખનો સત્કાર્યથી સદ્ધપયોગ. દુઃખને વહેંચાય નહિ સમતાથી સ્વીકાર કરવો.
સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
૫૦. કૂરુ સૂરુ બન્યો
એક નાનું સરખું ગામ. ત્યાં એક કુશળ અને પરોપકારી વૈદ્યરાજ વસે. યોગ્ય ચિકિત્સા કરે, પૈસાનો લોભ નહિ. ધર્મવૃત્તિવાળા હતા. સુખેથી ગુજરાન નભતું હતું. ગામજનો તેમનો ખૂબ આદર રાખતા. તે ગામમાં એક કુરનામનો હલકી મનોવૃત્તિવાળો માણસ રહેતો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૨