SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ 498 || ભક્તામર તુલ્ય નમઃ | નમિઊણ સ્તોત્રમાં પણ ભયોનું વર્ણન કર્યું છે. આ સ્તોત્રમાં તેમણે અષ્ટમહાભય આ પ્રમાણે વર્ણવ્યા (૧) રોગભય (૨) જલભય (૩) જ્વલનભય (૪) સર્પભય (૫) ચૌરભય (૬) સિંહભય (૭) ગજભય (૮) રણભય. ભક્તામર સ્તોત્રમાં સૂરિજીએ ૩૪થી ૪રમા શ્લોક સુધીમાં આઠ પ્રકારના ભયોના નિવારણનો ઉપાય બતાવ્યો છે. તે આ પ્રમાણે છે : (૧) ગજભય - ભક્તામરનો ૩૪મો શ્લોક (૨) સિંહભય ભક્તામરનો ૩૫મો શ્લોક (૩) દાવાનલનો ભય ભક્તામરનો ૩૬મો શ્લોક () સર્પનો ભય ભક્તામરનો ૩૭મો શ્લોક (૫) સંગ્રામભય ભક્તામરનો ૩૮ અને ૩૯મો શ્લોક (૬) સમુદ્રનો ભય ભક્તામરનો ૪૦મો શ્લોક (૭) જલોદરનો ભય - ભક્તામરનો ૪૧મો શ્લોક (૮) બંધનથી ઉત્પન્ન થયેલો ભય . ભક્તામરનો ૪૫મો શ્લોક ઉપર્યુક્ત ગમે તે ભયમાં મનુષ્ય જ્યારે સપડાય ત્યારે તે પ્રમાણેના શ્લોકનું સ્મરણ જાપ કરવામાં આવે તો તરત જ તે ભયમાંથી મુક્તિ થાય છે. ભક્તામર સ્તોત્ર જ મંત્રશાસ્ત્ર છે એમ શ્રી સારાભાઈ નવાબનું કહેવું જરાપણ અતિશયોક્તિપૂર્ણ નથી. તેમણે યથાયોગ્ય વિધાન જ કરેલું છે. આ સ્તોત્ર પર આટલા મોટા પાયામાં મંત્રો રચાયેલા છે અને તે આધારે યંત્રો અને તંત્રો રચાયેલાં છે એટલાં કદાચ અન્ય કોઈ સ્તોત્ર પર નહીં રચાયાં હોય એવું વિદ્વાનોનું માનવું છે. દરેકે દરેક શબ્દ, અક્ષર બીજમંત્ર સમાન છે. ગ્રહોને લગતા મંત્રો પણ આ સ્તોત્રમાં ગૂઢાર્થ રીતે ગૂંથાયેલા છે. પાદટીપ ૧. મંત્ર અને માતૃકાઓનું રહસ્ય'. ડૉ. શિવશંકર અવસ્થી, પૃ ૧૯૦-૯૧ ‘પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ', સારાભાઈ નવાબ, પૃ. ૨૧ ૩. શ્રી પાર્શ્વનાથોપસર્ગ હારિણી શાસનદેવી શ્રી પદ્માદેવી માતા તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ, ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી, પૃ. ૧૩૫ ૪. “ભક્તામર દર્શન', રાજયશસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૨૫૫ ૫. શ્રી પાર્થનાથોપસર્ગહારિણી શાસનદેવી શ્રી પદ્માદેવી માતા – મંત્ર – તંત્ર – યંત્ર', પ્રો. સી. વી. રાવળ,
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy