SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ 384 8 // ભક્તામર તુલ્ય નમઃ | તેની વૃદ્ધિનું આયોજન કરવામાં ભૂલ થયેલી છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. કારણ કે ૩૮ ગાથાના હિસાબે : રૂરી થાની દ્ધિ - ૐ હ્રીં ગઈ નમો નવોદિપત્તામાં છે. રૂ૪મી જાથાની ઋદ્ધિ - ૐ શ્રીં મર્દ નમો વેનોસહિપત્તા છે. રૂપમી જાથાની ઋદ્ધિ - 8 શ્રીં મર્દ નમો નન્નોસહિપત્તામાં છે. રૂમી થાની ઋદ્ધિ - 8 શ્રીં નમો વિપ્રોફિપત્તાઇ છે. રૂ૭મી માથાની ઋદ્ધિ : ૐ હ્રીં મર્દ નમો સવોરાફિપત્તામાં છે. આમ ૪૮ ગાથા માનીને ઋદ્ધિનું આયોજન કરનારની એક એવી મોટી ભૂલ થઈ ગઈ છે. દરેક શ્લોકમાં ઋદ્ધિઓ જુદી જ છે. તો ૩૩મી અને ૩૭મી એક જ ઋદ્ધિ હોવાનું કોઈ કારણ નથી. આ માત્ર નવી ગાથાઓ ઉમેરનારની જ ભૂલ છે. ભક્તામર સ્તોત્રના બધા જ શ્લોકોના ઋદ્ધિમંત્ર જુદા જુદા છે. ૪૪ શ્લોકોના ઋદ્ધિમંત્ર અલગ અલગ છે. જ્યારે અતિરિક્ત ચાર શ્લોકોમાંથી એક શ્લોકનો ઋદ્ધિમંત્ર ૩૩માં શ્લોકનો જે ઋદ્ધિમંત્ર છે, તે જ ઋદ્ધિમંત્ર દિગમ્બર પાઠના ૩૭માં શ્લોકનો ઋદ્ધિ મંત્ર છે. આથી ૪૭ ઋદ્ધિપદ થયાં. જો ૪૮ ઋદ્ધિપદ કે લબ્ધિપદ માનવામાં આવતાં હોય તો ૪૪ કે ૪૭ લબ્ધિપદ એ દોષ ગણાય. એ દોષ નથી કારણ કે ૪૮ જ લબ્ધિપદ છે. એવું કોઈ પ્રમાણ નથી. સૂરિમંત્ર કલ્પમાં કુલ ૫૦ લબ્ધિપદો આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ શ્વેતામ્બરાચાર્યો દ્વારા લખાયેલો છે. જ્યારે પખંડાગમની ધવલા ટીકામાં દિગમ્બર આચાર્યના બતાવેલા છે. તેમાં ૪૪ જ લબ્ધિપદો આપેલાં છે. માટે ૪૪ લબ્ધિપદો ભક્તામરમાં આપવામાં આવે તો લબ્ધિપદો ઓછાં કર્યા છે તેવું કહી ન શકાય, વળી સલ્લોપિત્તા નો ૪૪ ગાથામાં સમાવેશ થાય છે અને વેનોસહિપત્તા, નમ્નોસહિપત્તા અને વિષ્પોરિપત્તા આ ત્રણ પદનો સમાવેશ થતો નથી, પણ અર્થનો વિમર્શ કરનાર સમજી શકે છે કે નવોદિત્તાના અર્થથી ત્રણેય લબ્ધિપદ આવી શકે છે. આમ આ ચાર શ્લોકો પાછળથી જોડાયા છે. તે સમજાવતું આ પણ એક પ્રમાણ છે. ભક્તામર સ્તોત્ર પ્રભાવક અને ચમત્કારિક ગણાય છે. તેની સાથે લબ્ધિ-ઋદ્ધિની વાત પણ સંકળાયેલી છે અને લબ્ધિ-વૃદ્ધિ માટે ભક્તામર સ્તોત્રનું યંત્ર-તંત્ર-મંત્ર સહિત વિધિવત્ પૂજન થતું આવ્યું છે. લબ્ધિ ઋદ્ધિની સંખ્યા ૪૮ની હોવાથી ભક્તામરની શ્લોકસંખ્યા ૪૮ હોવી જોઈએ એવો દિગમ્બર સંપ્રદાયનો મત છે. પરંતુ ઉપર્યુક્ત શ્રી રાજયશસૂરિ મહારાજના જણાવ્યા અનુસાર લબ્ધિ-ઋદ્ધિ પદની સંખ્યા જુદી જુદી જણાવવામાં આવી છે. તેથી ઋદ્ધિ-લબ્ધિના આધારે શ્લોકની સંખ્યા નક્કી થાય તે યથાયોગ્ય નથી. આમ સ્તોત્ર ૪૪ શ્લોકીય હોવાનું તેમણે આપેલું પ્રમાણ તર્કસંગત છે. ભક્તામર સ્તોત્રની પદ્યસંખ્યા વિશેની ચર્ચા કરતાં શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જણાવે છે કે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy