SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ૩ભૂત ભીષણ નતોવર: (૨) શૌય્યામ્ શામુપાતા: — – શ્રી ભક્તામર સ્તોત્ર * 317 ઉત્પન્ન થયેલો ભયંકર જલોદર કોઈ પણ ચિંતાગ્રસ્ત અવસ્થા (૩) શ્રુતીવિતાશા: જેમણે જીવવાની આશા છોડી દીધી હોય તેવો માણસ. આવી ત્રણ અવસ્થાની વાત સૂરિજીએ પ્રથમ બે ચરણમાં કરી છે અને અંતિમ બે ચરણમાં આ ત્રણ અવસ્થામાં મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો છે. સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભાજી આના સંદર્ભમાં જણાવે છે કે, પ્રથમ ચરણમાં જલોદરથી દૈહિક રોગથી, બીજામાં માનસિક રોગથી અને ત્રીજામાં જીવન સંબંધિત સમસ્યામાં પણ પરમાત્માનું સ્મરણ એક વિશેષ સમાધાનની દિશા પ્રદાન કરે છે.’૫૮ શારીરિક, માનસિક રોગ અને જીવનની આશા સમાપ્ત થઈ ગઈ હોય એ ત્રણે અવસ્થામાં પ્રભુનું નામસ્મરણ અને શ૨ણ જ એક માત્ર સમાધાન છે. અર્થાત્ પ્રભુભક્તિમાં લીન થઈ જવું, તેના ૨જરૂપી અમૃત વડે તનને લેપન કરવું અને મનને ભીંજવી દેવું. તેનાથી શારીરિક અને માનસિક રોગોથી મુક્ત થવાય છે અને જીવનની આશા ફરીથી પ્રજ્વલિત થાય છે. સૂરિજીએ મોક્ષગતિ તરફ પ્રયાણ કરવાનું વધુ એક સોપાન બતાવ્યું છે. શ્લોક ૪૨મો आपादकण्ठमुरुशृङ्खलवेष्टिताङ्गा गाढं बृहन्निगडकोटिनिघृष्टजङ्घाः । त्वन्नाममन्त्रमनिशं मनुजाः स्मरन्तः सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ।। ४२ ।। જે કેદીના પગમહિં અરે બેડીઓ તો પડી છે, માથાથી તે જકડી લઈને જાંઘ સુધી જડી છે; એવા કેદી મનુજ પ્રભુજી આપને જો સ્મરે છે, સર્વે બંધો ઝટપટ છૂટી છૂટથી તે ફરે છે. (૪૨) શબ્દાર્થ આપાત્ જમ્ – પગોથી માંડીને ગળા સુધી, ઉત્કૃડ્વત – મોટી સાંકળોથી, વેષ્ટિતાજ્ઞા – જેનાં અંગો બાંધી દીધેલાં હોય, ઢમ્ – મજબૂત, વૃત્ નિયાડ – મોટી મોટી લોખંડની બેડીઓ, હોટિનિધૃષ્ટ – છેડાઓથી અત્યંત ઘસાઈ રહી છે, નડ્યા – જાંઘો, મનુના: – મનુષ્યો, હૃત્ नाममन्त्रम् આપના નામરૂપી મંત્રને, અનિશમ્ – સતત, નિરંતર. સ્મરન્તઃ સ્મરણ કરવાથી - સદ્યસ્વયમ્ – તત્કાળ પોતાની મેળાએ જ, વિગત વન્ય મયા – બંધનનો ભય ચાલ્યો જવો, મત્તિ થાય છે. —
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy