________________
શ્રી ભક્તામર સ્તોત્ર 285
શ્લોક ૩૧મો
છત્રત્રયં તવ વિમાતિ શાહુકાન્તमुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् मुक्ताफलप्रकरजालविवृद्धशोभं
प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ।।३१।। શોભે છત્રો પ્રભુ ઉપર તો ઊજળા ચંદ્ર જેવા, થંભાવે તે રવિકિરણનાં તેજને દેવદેવા; મોતીઓથી મનહર દીસે છત્ર શોભા અનેરી, દેખાડે છે ત્રણ ભુવનની સ્વામિતા આપ કેરી. (૩૧)
શબ્દાર્થ
શાન્તિ ” – ચંદ્રમાં જેવું ઉજ્વળ, તવ – આપના, ઉબૈઃ સ્થિતમ – ઉપર ઊંચે રહેલ, સ્થતિ – રોકી રાખેલ છે . રહેલા છે. માનુવર પ્રતા૫મ્ – સૂર્યકિરણના પ્રભાવને, છત્રત્રયમ્ – ઉપરાઉપર ત્રણ છત્રો, વિમાતિ – શોભે છે, મુસ્તાન પર – મોતીના સમૂહ, નાનવિવૃદ્ધ શોમમ્ – વિશિષ્ટ રચનાથી જેની શોભા વૃદ્ધિ પામેલ છે. પ્રધ્યાયતઃ – પ્રકટ કરતાં, સૂચવતાં, ત્રિગતિ: - ત્રણ જગતના, પરમેશ્વરત્વમ્ – પરમેશ્વરપણાને ભાવાર્થ :
હે ભગવન્! આપના મસ્તક ઉપર ઊંચે ઉપરાઉપરી ધારણ કરાયેલાં ત્રણ છત્રો ચંદ્રમા જેવા ઉજ્જવલ છે, મોતીના સમૂહની વિશિષ્ટ રચનાથી ઘણી શોભા પામી રહેલા છે. તેમજ સૂર્યનાં કિરણોના પ્રભાવને રોકી રાખે છે તથા ત્રણ જગતના પરમેશ્વરપણાને સૂચવતાં અત્યંત શોભી રહેલા છે. વિવેચન : ગાથા ૩૧
સ્તોત્રકાર માનતુંગસૂરિજી ધર્મોપદેશ આપતાં શ્રી આદિનાથ ભગવાનનું ચિત્ર રચી રહ્યા છે. જ્યારે શ્રી આદિનાથ પ્રભુ સમવસરણમાં અશોકવૃક્ષ નીચે મણિમય સિંહાસન પર બિરાજમાન થઈને ધર્મદેશના આપે છે તે વખતે તેમની બંને બાજુ શ્વેત ચામરો વીંઝાય છે. અને તેમના મસ્તક. પર ત્રણ છત્રો ઉપરાઉપરી ધારણ કરાયેલા હોય છે. આ શ્લોકમાં તેનું વર્ણન સૂરિજીએ કર્યું છે. ' હે ભગવાન ! આપના મસ્તક ઉપર ઊંચે ત્રણ છત્રો ધારણ કરાયેલાં છે તે ચંદ્રમા જેવા ઉજ્જવલ છે. તેના પર મોતીની વિશિષ્ટ રચના હોવાથી અતિ સુંદર લાગે છે. તથા તે સૂર્યનાં કિરણોને તમારા મસ્તક પર પડતાં અટકાવી રાખે છે. વળી તે એકની પર બીજું અને બીજા પર ત્રીજું એમ ગોઠવાયેલાં છે તે તમારું ત્રણ ભુવનનું પરમેશ્વરપણું સૂચવે છે.'