________________
262 . || ભક્તામર તુલ્યુ નમઃ
સ્તોત્રકાર સૂરિજીએ જિનેશ્વરદેવનાં ગુણવાચક ૧૦૦૮ નામોમાંથી કેટલાંક રંગબેરંગી ફૂલોની એક મનોરમ્ય અને નયનાભિરામ માળા ગૂંથી છે. અર્થાત્ આ શ્લોકમાં સૂરિજીએ ગાગરમાં સાગર ભરી દીધો છે. તેમણે પ્રભુને માટે પ્રયોજેલાં ગુણવાચક નામોથી વિશદ્ ચર્ચા કે વ્યાખ્યા કરવા બેસીએ તો આ શ્લોકના આધારે અનેક ગ્રંથો રચાઈ શકે. પંડિતો, આચાર્યો આદિએ દર્શાવેલ આ ગુણવાચક નામોની વ્યાખ્યાઓ ઉપરોક્ત પ્રમાણે છે.
આ સિવાય પણ પ્રભુને માટે વપરાયેલાં ગુણવાચક વિશેષણોમાં પ્રભુના વિશિષ્ટ ગુણોનો સમાવેશ થયેલો છે. આ જ ગુણોનો સૂરિજીએ આ સ્તોત્રના અન્ય શ્લોકમાં પણ ઉલ્લેખ કરેલો મળી આવે છે. ઉદાહરણ તરીકે :
જ્ઞાની પુરુષોએ પ્રભુને અવ્યય' કહ્યા છે. જે અવિચળ પ્રમાણે બિરાજે છે. એવો અર્થ પણ અવ્યયનો કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો કલ્પાન્તકાલનો પ્રલયકારી પવન પણ પ્રભુને ડોલાવી નથી શકતો. તેઓ મેરુ જેવા અવિચળ છે. તેવું સૂરિજીએ આ સ્તોત્રના પંદરમા શ્લોક ‘વિત્ર વિમત્ર યદ્રિ તે ત્રિીનામમાં કર્યો છે.
પ્રભુને વિભુ પણ કહેવામાં આવ્યા છે. કારણ કે પ્રભુ પરમ ઐશ્વર્યથી શોભે છે. પ્રભુ જ્યારે સમવસરણમાં બેસીને ધર્મોપદેશના આપે છે ત્યારે અષ્ટમહાપ્રતિહાર્યોથી પ્રભુના ઐશ્વર્યનો મહિમા તેમના વૈભવથી શોભે છે. અહીં સૂરિજીએ શ્લોક ૨૮, ૨૯, ૩૦ અને ૩૧માં ચાર પ્રતિહાર્યો અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર દ્વારા પ્રભુના ઐશ્વર્યને વર્ણવ્યું છે.
વિભુનો અન્ય બીજો પણ અર્થ કરવામાં આવે છે કે, જે સ્વયં પ્રકાશિત બની અન્યને પ્રકાશ આપે તે વિભુ.'
પ્રભુ તો સ્વયંભૂ પ્રકાશિત છે અને સ્વપર પ્રકાશક પણ છે અર્થાતુ જે પોતે પ્રકાશિત થઈ અન્યને પ્રકાશિત કરે છે પોતે મોક્ષમાર્ગના શાશ્વત સુખના સ્વામી બનીને અન્યને પણ એ માર્ગ બતાવે છે. આ ગુણને સૂરિજીએ દીપકની ઉપમા આપીને આ સ્તોત્રના શ્લોક ૧૬ ‘નિર્દૂમવર્તિરપૂર્ણતૌતપૂર:'માં વર્ણવ્યો છે.
જ્ઞાની પુરષોએ પ્રભુને અચિંત્ય અને અસંખ્ય પણ કહ્યા છે. પ્રભુના અનંત ગુણોમાંથી એક પછી એક ગુણ લેવામાં આવે તો તે કદી પૂર્ણ થતા નથી. અર્થાત્ પ્રભુના અસંખ્ય ગુણોનું વર્ણન કે ચિંતન કદાપિ કરી શકાતું નથી. પ્રભુ તો સર્વગુણસંપન્ન છે. તો આવા પ્રભુના ગુણોનું વર્ણન કે ચિંતન કરવું અશક્ય છે. સર્વગુણસંપન્ન એટલે જગતમાં જેટલા ગુણો છે તે સર્વ ગુણોને ધારણ કરનાર, આ ગુણોની સંખ્યા કેટલી છે તે ગણવી અશક્ય છે. તેથી તે અસંખ્ય છે. આ સર્વગુણસંપન્નતાની વાત સૂરિજીએ શ્લોક ૨૭ “ો વિસ્મયોડત્રિ ય નામ ગુBરશે. જેમાં કરી છે.
જ્ઞાની પુરુષોએ પ્રભુને આદ્ય, બ્રહ્મા અને ઈશ્વર જેવાં નામથી પણ નવાજ્યા છે. પ્રથમ બે શ્લોકમાં સૂરિજીએ પ્રભુને આદિપુરુષ કહ્યા છે. યુગની શરૂઆત કરનાર તેથી તેઓ આદ્ય છે. બ્રહ્માને સૃષ્ટિના સર્જક માનવામાં આવે છે. ત્યારે અહીંયાં શ્રી આદિનાથ પ્રભુને મોક્ષમાર્ગની