________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 111 જિનપ્રભસૂરિએ વિવિધ વર્ણવાળા સાતસો સ્તોત્રો રચીને જૈનશાસનની પ્રભાવના કરીને સ્તોત્ર-સાહિત્યના આરાધકો ઉપર અણકથ્ય ઉપકાર કર્યો છે.
(૨૫) ધર્મઘોષસૂરિ : ૧૪મી સદીના પ્રખર વિદ્વાન તરીકે તેમની ગણના કરવામાં આવી છે તેમણે રચેલ સ્તોત્રસાહિત્ય અતિ વિશાળ છે.
ધર્મઘોષસૂરિ વિરચિત કૃતિઓમાં ચંદ્રપ્રભ (૭ ભવ), સ્તોત્ર (ગાથા-૬), શાંતિ સ્તોત્ર (ગાથા ૧૦), સુવ્રત સ્તોત્ર (ગાથા ૬), નેમિ સ્તોત્ર (ગાથા ૭), પાર્થસ્તોત્ર (ગાથા ૯), વીરસ્તોત્ર (ગાથા ૧૦), ગિરનાર કલ્પ (ગાથા ૩૨), શત્રુજય કલ્પ (ગાથા ૩૮), અષ્ટાપદ કલ્પ (ગાથા ૨૫, પા સ્તવન (ગાથા ૧૧), વીરસ્તવ (ગાથા ૯), ભવિચતુવિંશતિકા સ્તવ (ગાથા ૧૪), અજિતશાંતિ સ્તવ (ગાથા ૧૭), મહાવીરકલશ (ગાથા ૨૭), પાર્શ્વસ્તવન (ગાથા ૯), સર્વજિનસ્તવન (ગાથા ૯), જિન સ્તવન (ગાથા ૯), જીવવિચાર સ્તવન (ગાથા ૪૦), પંચત્રિશજિનવચનગુણસ્તવન (ગાથા ૩૫), ઋષભ (૧૩ ભવો, સ્તોત્ર (ગાથા ૭), યમકસ્તુતઃ (શ્લોક ૩૯), ચતુર્વિશતિજિન સ્તુતિ (શ્લોક ૨૮), આદિનો સમાવેશ થાય છે.
ઉપર્યુક્ત સાહિત્યમાંથી ધર્મઘોષસૂરિના સર્વજિન સ્તવનમાં અંતિમ આઠપદમાં કમલબંધ છે. “જિનસ્તવની સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. જે કવિની બંને ભાષાઓ ઉપરની પારંગતતા દર્શાવે છે. પાર્શ્વદેવ સ્તવન'માં કવિએ પોતાની નિઃસહાય સ્થિતિનું માર્મિક નિરૂપણ કર્યું છે. એમણે પ્રાકૃત ભાષામાં રચેલ જીવન વિચાર સ્તવન' ભેદોનું વર્ણન, તથા પ્રાણ અને ૧૫ સિદ્ધો વગેરેનું સુંદર નિરૂપણ કરેલ છે.
(૨૬) સોમસુંદરસૂરિ : ૧૫મી સદીમાં થયેલા સોમસુંદરસૂરિએ કર્ભાષામાં કે એકથી અધિક ભાષાઓના પ્રયોગવાળાં સ્તોત્રો પણ રચ્યાં છે. જેમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી, પૈશાચી તથા સૌરસેની જેવી જુદી જુદી ભાષાઓમાં સ્તોત્રની રચના કરી છે. આવાં સ્તોત્રોમાં પુષ્પદસ્મશબ્દસ્તવ, હારબંધ જિનસ્તોત્ર, સાધારણ જિનસ્તવન, શાંતિજિનસ્તવન, નેમિ જિનસ્તવન, પાશ્વજિન સ્તવન આદિનો સમાવેશ થાય છે.
(૨૭) મુનિસુંદરસૂરિ : વિક્રમ સંવત ૧૪૮૫માં થયેલા મુનિસુંદરસૂરિ સોમસુંદરસૂરિના સહસાવધાની શિષ્ય હતા. તેમણે “શાંતિકર સ્તવ' (લઘુ શાંતિ) રચી મહામારીના ઉપદ્રવને નિવાર્યો હતો.
શિરોહી નગરમાં તીડના ઉપદ્રવનો નાશ કરવા તે નગરના રાજાએ મૃગયા શિકાર)નો નિષેધ કર્યો હતો. એમણે “જિન સ્તોત્ર રત્નકોષ', સીમંધર સ્તુતિ', વગેરેની પણ રચના કરી હતી.
(૨૮) રત્નશેખરસૂરિ : ૧૫મી સદીમાં થયેલા રત્નશેખરસૂરિએ ત્રિસંધાન-સ્તોત્રાદિ દ્વારા કંઈક નવા માર્ગોની શરૂઆત કરી.
રત્નશેખરસૂરિની રચનાઓમાં ઘોઘામંડન પાર્શ્વજિન સ્તવ, નવખંડ યમક પાર્થસ્તવ, પાર્થસ્તવ