SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ ૫ – પ્રભુને શીતળ અને સુગંધી જળથી સ્નાન કરાવનારા શુભ કર્મથી સુગંધિત બને છે. ૬– પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવનારા પંચમજ્ઞાન-કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પાંચમી ગતિ મોક્ષને પામે છે. ૭ – પ્રભુને કેશર અને ચંદનથી પૂજનારા અખંડ લક્ષ્મીવાળા થઈ કીર્તિરૂપ સુગંધીના ભાગીદાર થાય છે. ૮- પ્રભુને બરાસથી પૂજન કરનારા જગતમાં શ્રેષ્ઠ અને શત્રુના ભયથી મુક્ત બને છે. ૯ – પ્રભુને કસ્તુરી-અગરુ અને કેશરથી પૂજનારા જગતમાં ગુસ્પદને પામે છે. ૧૦ – પ્રભુનું અર્ચન કરનારા ત્રણે જગતને પોતાની કીર્તિથી વાસિત કરી આ લોકમાં નીરોગી થાય છે.અને પરલોકમાં સદ્ગતિ પામે છે. ૧૧ – સુગંધી પુષ્પોથી પૂજા કરનારા સુગંધી શરીરવાળા બની ત્રણલોને પૂજવા યોગ્ય બને છે. ૧૨ – સાધારણ ધૂપ કરનારાને ૧૫-ઉપવાસ અને કપૂર વગેરે મોટી સુગંધવાળા ધૂપોથી ધૂપ કરનારને માસ-ખમણનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૩ – અખંડ અક્ષત ચઢાવનારને અખંડ સુખસંપત્તિ મળે છે અને સઘળા મનોરથો પૂર્ણ થાય છે. ૧૪ – દિપક પૂજા કરનારાના શરીરની કાંતિ દેદીપ્યમાન થાય છે. અને સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે. અને મંગલ દીપકથી માંગલિકો પ્રાપ્ત થાય છે. ૧૫ – નૈવેદ્ય પૂજા કરનારને જીવોની મિત્રતા વધે છે. ૧૬ - ફળપૂજા કરનારને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. ૧૭ - આભૂષણો ચઢાવનાર ત્રણે ભુવનમાં અલંકારભૂત બને છે. ૧૮ – રથયાત્રા માટે રથ આપનારને ચવર્તીની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૧૯ - પ્રભુજીને પોંખણાં કરવાથી કર્મરૂપી રજથી રહિત બને છે. ૨૦ – તીર્થમાં અq આપનારને સર્વ તરફથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હાથી આપનારને સારા શિયળવાળી સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે. પ્રભુના પખાલ માટે ગાય આપનાર આત્મા રાજા થાય છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy